:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

પાકિસ્તાનમાં પતિએ 7 બાળકોને કુહાડીથી મારી નાંખ્યા: ભરણપોષણ ન થતા ભર્યું પગલું

top-news
  • 12 Apr, 2024

પાકિસ્તાનમાં દવા અને ખાદ્યપદાર્થો જેવી મૂળભૂત વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી રહી છે. ત્યારે આ બધા વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા એક વ્યક્તિએ પોતાના 7 બાળકો અને પત્ની પર કુહાડી મારીને હત્યા કરી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બની હતી. આ ઘટનામાં તમામ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 

પાકિસ્તાનમાં દવા અને ખાદ્યપદાર્થો જેવી મૂળભૂત વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી રહી છે. જેના કારણે આરોપી સજ્જાદ ખોખર નામનો વ્યક્તિ પોતાના બાળકો અને પત્નીનું ભરણપોષણ કરી શકતો ન હતો. પૈસાની અછતના કારણે આરોપી ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની સાથે અવારનવાર વિવાદ થતો હતો.તેથી તેણે પોતાના પરિવારને જ મોતને ઘાટ ઉતારી દીધા. કાળજુ કંપાવી દે તેવી આ ઘટનામા આરોપી સજ્જાદની 42 વર્ષીય પત્ની કૌસર, ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રોના મોત થયા હતા. આ જઘન્ય અપરાધ બાદ પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

પોલીસે મીડિયાને જણાવ્યું કે આરોપીએ કુહાડી વડે તેના પરિવારની હત્યા કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ પોલીસને કહ્યું કે તે હવે તેના બાળકો અને પત્નીને ખવડાવી શકશે નહીં, જેના કારણે તેણે હત્યા કરી. આ ઘટનાએ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને આંચકો આપ્યો છે. આનો અર્થ એ થયો કે, પાકિસ્તાનમાં સ્થિતિ એટલી કાબૂ બહાર થઈ ગઈ છે કે, સામાન્ય લોકો પૈસાના અભાવે પોતાના પરિવારને બરબાદ કરી રહ્યાં છે.

ગરીબીથી પીડિત પાકિસ્તાનમાં આ પહેલા પણ આવો કિસ્સો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ વર્ષ 2019માં આવો કિસ્સો સામે આવ્યો હતો. તે દરમિયાન મોહમ્મદ અજમલ નામના વ્યક્તિએ તેની સાસુ અને ત્રણ ભાભી સાથે મળીને તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી. પાકિસ્તાનમાં દર વર્ષે સેંકડો મહિલાઓ અને બાળકોની તેમના પરિવારો દ્વારા હત્યા કરવામાં આવે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎