:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકીઓએ 11 લોકોને ઠાર કર્યા: લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી

top-news
  • 13 Apr, 2024

પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત ભડકે બળી રહ્યો છે. આતંકવાદીઓએ બસનુ અપહરણ કરીને નવ યાત્રીછઓને ગોળી મારી દીધી હોવાની ઘટના બાદ પાકિસ્તાની સરકાર હાંફળી ફાંફળી થઈ ગઈ છે. જ્યારે અન્ય એક ઘટનામાં કાર પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ અને તેમાં બે લોકોના મોત થયા હતા.

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીના કહેવા પ્રમાણે આ બંને હુમલા હાઈવે પર થયા હતા. એક ઘટનામાં આતંકવાદીઓએ બસ રોકી હતી.બસમાં બેઠેલા નવ લોકોનુ બંદુકની અણીએ અપહરણ કર્યુ હતુ. એ પછી તેમને પહાડી વિસ્તારમાં લઈ ગયા હતા. તેમને ત્યાં ગોળી મારી દેવામાં આવી હતી. તેમના મૃતદેહો મળી આવ્યા છે.

અન્ય એક બનાવમાં આ જ હાઈવે પર જઈ રહેલી કાર પર ફાયરિંગ કરાયુ હતુ અને તેમાં બે લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ કહ્યુ હતુ કે, આ કૃત્યને અંજામ આપનારા લોકોને બહુ જલદી પકડી લેવામાં આવશે. આતંકવાદીઓનો એક માત્ર ઉદ્દેશ બલૂચિસ્તાનની શાંતિને ખતમ કરવાનો છે. સુરક્ષા એજન્સીઓ તેમનુ પગેરુ મેળવી રહી છે.

હાલ તો આતંકી હુમલાની કોઈ સંગઠને જવાબદારી લીધી નથી પણ સ્થાનિક તંત્ર માટે ચિંતાની વાત છે કે, બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ આ પ્રાંતના ગ્વાદર બંદર પર, માચ શહેરમાં અને તુરબતમાં એક નેવી બેઝ પર આતંકી હુમલા થયા હતા અને તેની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎