ભારતની સફળતા-ઈરાને આપી મંજૂરી: 17 ફસાયેલા ભારતીય ખલાસીને મળી શકાશે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15042024_072724_Ship.jpg)
- 15 Apr, 2024
ઈરાનના
વિદેશ મંત્રી હુસેન અમીરાબોઢલિયને વિદેશ મંત્રી એસ જયશંકરને કહ્યું કે તહેરાન 17
જેટલા ક્રુ મેમ્બર્સને ભારતીય અધિકારીઓ સાથે મળવા દેશે. ઉલ્લેખનીય છે કે એમસી એરીસ
નામ ની શીપને ઈરાની સૈન્યએ સ્ટ્રેટ ઓફ હોરમોઝ નજીક જપ્ત કરી હતી.
ઈરાનના વિદેશમંત્રાલયના
જણાવ્યા મુજબ જયંશકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જપ્ત
કરાયેલી એમએસી એરિસ શીપના 17 જેટલા ભારતીય ક્રુ મેમ્બર્સ અંગે ચીત વ્યક્ત કરી હતી
અને આ અંગે તહેરાન બાબતે મદદ માંગી હતી.
આ અંગે
ઈરાનના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે જપ્ત કારાયેલી કારગો શીપ અંગે અમારી સરકાર
અપડેટ લઈ રહી છે. ટૂંક સમયમાં જ ભારત સરકારના પ્રતિનિધિઓને ક્રુ મેમ્બર્સ સાથે
મળવા દેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે 13 એપ્રિલે ઈરાની સૈન્યએ સટ્રેટ ઓફ હોરમોઝ નજીક હેલિકોપ્ટર દ્વારા રેડ કરી હતી. શનિવારે ઈરાને ઈઝરાયલ પર 300 જેટલા ડ્રોન્સ અને મિસાઈલ્સ વડે હુમલો કર્યો હતો. આ હુમલો ઈઝરાયલે 1 એપ્રિલના રોજ સિરિયાના પાટનગર એવા દમાસકસ ખાતે સ્થિત ઈરાનની એમ્બેસી પર કરેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો.