:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાહુલના હેલિકોપ્ટરની તપાસ કરાતા વિવાદ: ચૂંટણી અધિકારીઓએ ચેકિંગ કર્યું

top-news
  • 15 Apr, 2024

એક અસામાન્ય ઘટનામાં ચૂંટણીપચના અધિકારીઓ દ્વારા કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કેમકે સામાન્ય રીતે આ રીતે કોઈ રાજકીય નેતાના હેલિકોપ્ટર કે અન્ય વાહનની તલાશી લેવામાં આવતી નથી.

આ અંગેની પ્રાપ્ત વિગત એવી છે કે કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ તામિલાનાડુંના નિલગીરી ખાતે ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. નિલગીરી ખાતે રાહુલના હેલિકોપ્ટરનું લેન્ડિંગ થયા બાદ સ્કોવોડ અધિકારીઓ દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધી જ્યારે તેમના ચૂંટણી પ્રચાર માટે વાયનાડ જઈ રહ્યાં હતા, તે દરમિયાન આ તપાસ હાથધરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ તેમના લોકસભાના મતવિસ્તાર એવા કેરળ ખાતે ચૂંટણી પ્રચાર માટે રોડશો અને જનસભાનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની જીત થઈ હતી.

વાયનાડમાં કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીની સામે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(સીપીઆઈ)ના એની રાજા મેદાનમાં છે. કોમ્યુનિસ્ટ પાર્ટી વિરોધ પક્ષના ગઠબંધન એવા ઈન્ડિયા બ્લોકનો મિત્ર પક્ષ છે. બીજેપી અહીં કેરળના યુનિટ ચીફ એવા કે સુંદરનને ચૂંટણી લડાવી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎