:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અરવિંદ કેજરીવાલનો તિહાડ જેલમાંથી નવો સંદેશો: હું કોઈ આતંકવાદી નથી

top-news
  • 16 Apr, 2024

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે મંગળવારે જણાવ્યું હતું કે જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી સંદેશો મોકલ્યો છે. તેમણે આ સંદેશમાં કહ્યું છે કે મારું નામ અરવિંદ કેજરીવાલ છે. હું આતંકવાદી નથી. 

આપના સાંસદે આરોપ લગાવતા કહ્યું કે 24 કલાક અરવિંદ કેજરીવાલનો જુસ્સો તોડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે 21 માર્ચના રોજ દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસમાં  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આપના નેતાએ વધુમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલને આતંકવાદીની જેમ ટ્રીટ કરવામાં આવી રહ્યાં છે. તેમને નજીકથી કોઈને મળવા પણ દેવામાં આવતા નથી. ખરેખર આ પોલીસી ખૂબ જ ખરાબ છે. 

સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે આ દેશના પુત્ર અને ભાઈની જેમ કામ કર્યું છે, તેમણે જેલમાંથી સંદેશો મોકલતા કહ્યું છે કે મારું નામ અરવિંદ કેજરીવાલ છે અને હું કોઈ આતંકવાદી નથી. સિંહ 4 એપ્રિલના રોજ લીકર કેસમાં 6 મહિના જેટલો સમય જેલમાં બંધ રહ્યાં પછી બહાર આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ત્રણ વખત ચૂંટાયેલા અરવિંદ કેજરીવાલને પંજાબના સીએમ ભાગવત માન સાથે બારીમાંથી મુલાકાત કરવા દેવામાં આવી હતી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎