:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લોકસભા ચૂંટણી 2024: PM મોદીએ કહ્યું- તૃણમૂલે રામનવમીની ઉજવણી રોકવાના શક્ય તમામ પ્રયત્ન કર્યા

top-news
  • 16 Apr, 2024

રામનવમીની પૂર્વસંધ્યાએ પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસક પક્ષ એવા તૃણમૂલ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે પાર્ટીએ બંગાળમાં રામનવમીની ઉજવણી રોકવાનો સંપૂર્ણ પ્રયાસ કરી લીધો. બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બીજેપી પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે બીજેપી રાજ્યના અધિકારીઓની બદલીઓમાં દખલગીરી કરી રહી છે. જો રાજ્યમાં કોઈપણ પ્રકારનું કોમી થશે તો તેની જવાબાદારી બીજેપીની રહેશે. 

ઉલ્લેખનીય છે કે કોલકતા હાઈકોર્ટે સોમવારે વિશ્વ હિન્દુ પરિષદને રામનવમીની રેલી કાઢવા અંગેની પરવાનગી આપી હતી. કોર્ટમાં રજૂઆત કરતા સરકારે કહ્યું હતું કે ગત વર્ષે રાજ્યમાં રેલી દરમિયાન કોમી  ફાટી નીકળ્યું હતું. સરકારે તેને ધ્યાનમાં રાખીને રેલી માટે અન્ય એક માર્ગનું પણ સુચન કર્યું હતું. 

પં.બંગાળમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રથમ એવી રામનવમી છે, જેની ઉજવણી દરમિયાન રામલલા અયોધ્યા સ્થિત ભવ્ય રામમંદિરમાં બિરાજમાન હશે. તેમણે વધુમાં કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે અગાઉની જેમ જ રામનવમીની ઉજવણી રોકવાના તમામ પ્રયત્નો કર્યા હતા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎