શોભાયાત્રા પર પથ્થરમારાનો વીડિયો વાયરલ: મોટી સંખ્યામાં એકત્રિત થવા પર પ્રતિબંધ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan18042024_053054_Bengal tourmoil.png)
- 18 Apr, 2024
લોકસભાની વર્તમાન ચૂંટણીઓની વચ્ચે બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા પર કરાયેલા પથ્થરમારાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક તોફાની તત્વો ઘરની ધાબે ઉભા રહીને પથ્થરમારો કરતા નજરે પડે છે કે જોકે અમે એ વીડિયોની પુષ્ટિ કરતા નથી પરંતુ બંગાળમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દરમિયાનમાં સતાવાળાઓએ સાવેચેતીના પગલારૂપે મુર્શિદાબાદમાં 144ની કલમ લાગુ કરીને ચાર કરતા વધુ લોકોના એકત્રિત થવા પ્રતિબંધ મુક્યો છે.
બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટનાને ભાજપનું કાવતરું ગણાવીને એવો બચાવ કર્યો છે કે ચૂંટણીમાં ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા માટે ભાજપે આ હાથકંડો અપનાવ્યો છે. એક તરફ 19મી તારીખે મતદાન છે, તો બીજી તરફ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી શકે એમ રાજકીય રીતે મુલવવામાં આવી રહ્યું છે.
રામનવમીના તહેવારના દિવસે મુર્શિદાબાદમાં જ નહિ પરંતુ પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં પણ અથડામણ થઈ હતી. અહીં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણમાં ચાર લોકો ઘાયલ થયા હતા. બીજેપીનો આરોપ છે કે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. નંદીગ્રામમાં બીજેપીના કાર્યાલયને સળગાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ