:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેજરીવાલે ઇન્સ્યુલિન માટે કરી અરજી: વકીલે આપી તેમના ભોજનની વિગતો...

top-news
  • 19 Apr, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની કોર્ટમાં  અરજી કરીને તેમને ડાયાબિટીસ હોવા અંગેનું કારણ જણાવીને તેમને તિહાડ જેલમાં ઈન્સ્યુલિન આપવા દેવામાં આવે તેવી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ દાવો કરતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને મારી નાખવાનું ષડયંત્ર બનાવવામાં આવી રહ્યું છે. 

કેજરીવાલે અરજીમાં રજૂઆત કરતા કહ્યું છે કે તેમને ડોક્ટર સાથે વીડિયો કન્સલ્ટેશન કરવા દેવામાં આવે. અરજીમાં સાથે-સાથે તેમને ઈન્સ્યુલિન પણ તિહર જેલમાં આપવા દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગુરુવારે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરતા કહ્યું હતું કે કેજરીવાલને ડાયબિટીસ હોવા છતાં જેલ ઓથોરિટી દ્વારા કેજરીવાલને ઈન્સ્યુલિન અને દવાઓ આપવા દેવાતી નથી. આ રીતે કેજરીવાલને મારી નાંખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અરજીમાં રજૂઆત કરતા કહેવામાં આવ્યું છે કે જેલ ઓથોરિટી દ્વારા કેજરીવાલને ઈન્સ્યુલિન આપવા દેવામાં આવે અને સાથે જ ડો.રવિચન્દ્રા રાઉ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા રોજ 15 મિનિટ કન્સલ્ટ કરવા દેવામાં આવે. અગાઉ આપે દાવો કરતા કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કેજરીવાલના ડાયાબિટીસમાં ભારે વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં તિહાડ જેલ ઓથોરિટી દ્વારા તેમને ઈન્સ્યુલિન આપવા દેવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સેમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા ગુરુવારે કોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં કેરી, આલુ પુરી અને મીઠાઈ રોજ જમે છે, જેના કારણે તેમનો ડાયબિટીસ વધે અને તેના આધારે તેઓ તબીબી કારણ બતાવીને જામીન માંગી શકે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎