:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એર ઈન્ડિયાનો મોટો નિર્ણય: ઈઝરાયલના શહેર તેલ અવીવ આવતી-જતી ફ્લાઈટ 30 એપ્રિલ સુધી બંધ કરી

top-news
  • 19 Apr, 2024

હાલની મિડલ-ઈસ્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ તેની ઈઝરાયલના શહેર એવા તેલ અવીવ જતી અને આવતી તમામ ફ્લાઈટ્સને આગામી 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઈઝરાયલે ઈરાન પર મિસાઈલથી હુમલો કર્યો હતો. તે પહેલા ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. 

આ અંગે એર ઈન્ડિયાએ એક પોસ્ટમાં જણાવ્યું છે કે આગામી 30 એપ્રિલ સુધી ઈઝરાયલના શહેર તેલ અવીવ આવતી અને જતી ફ્લાઈટને બંધ કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ આ નિર્ણય હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો હોવાની વાત કહી છે. એરલાઈન્સે કહ્યું છે કે હાલ અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. હાલ જે મુસાફરોએ આ તારીખોમાં તેલ અવીવ જવા કે આવવાની ટિકિટ બુક કરાવી છે, તેમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ પેસેન્જર્સ તેમની ટિકિટને રિશિડ્યુલ કરી શકે છે અથવા તો પછી કેન્સલ કરી શકે છે. આ માટે એરલાઈન્સ તેમની પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસુલશે નહિ. અમારા ક્રુ મેમ્બર્સ અને ગ્રાહકોની સેફ્ટી અમારી અગ્રીમતા છે.

ગત રવિવારે એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી અને તેલ અવીવ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટને થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે  કે ઈઝરાયલના પાટનગર એવા તેલ અવીવની સર્વિસને એર ઈન્ડિયાએ પાંચ મહિના બાદ 3 માર્ચે શરૂ કરી હતી. હમાસે ઈઝરાયલ પર કરેલા હુમલા બાદ એર ઈન્ડિયાએ 3 ઓક્ટોબર 2023ના રોજ તેલ અવીવ જતી અને આવતી ફ્લાઈટ્સને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎