દૂરદર્શનનો લોગો બદલાયો: DDનો લોગો કેસરી રંગનો થયો, વિપક્ષના નેતા ભડક્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan20042024_090035_DD.webp)
- 20 Apr, 2024
પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને પોતાના ઔતિહાસિક લોગોનો રંગ બદલીને કેસરી કર્યો છે. આ અંગે ડીડી ન્યુઝના અધિકારિક એક્સ હેન્ડલે જાહેરાત કરી છે. જેની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અમારું મુલ્ય એ જ છે, જોકે હવે અમે એક નવા અવતારમાં ઉપલબ્ધ છે. એક એવી સમાચાર યાત્રા માટે તૈયાર થઈ જાવ, જે પહેલા ક્યારેય જોવા મળી નથી. એકદમ નવા ડીડી ન્યુઝનો અનુભવ કરો. વિપક્ષ આ બદલાવથી નારાજ દેખાઈ રહ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી(ડીડી,એઆઈઆર)ના પૂર્વ સીઈઓ, જવાહર સરકારે લોગો બદલવા અંગે ટીકા કરતા કહ્યું કે આ તો દૂરદર્શનનું ભગવાકરણ છે. તેમણે એક્સ પર લખ્યું રાષ્ટ્રીય પ્રસારક દૂરદર્શને પોતાના ઐતિહાસિક ફ્લેગશીપ લોગોને ભગવો રંગ આપ્યો છે. તેના પૂર્વ સીઈઓના રૂપમાં તેમણે ભગવાકરણ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ હવે પ્રસાર ભારતી નહીં, પ્રચાર ભારતી છે.
કોંગ્રેસના મનીષ તિવારીએ આરોપ લગાવ્યો કે દૂરદર્શનના લોગોનો રંગ બદલવો તે સરકારી સંસ્થાઓ પર કબ્જો કરવાનો પ્રયત્ન છે. યુપીએ સરકાર દરમિયાન તેઓ 2012થી 2014 સુધી કેન્દ્રીય સુચના અને પ્રસાર મંત્રી રહ્યાં હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે આ સરકારની તરફથી ભગવાદ અને સરકારી સંસ્થાઓ પર કબ્જો કરવાનો પ્રયત્ન છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ