:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દૂરદર્શનનો લોગો બદલાયો: DDનો લોગો કેસરી રંગનો થયો, વિપક્ષના નેતા ભડક્યા

top-news
  • 20 Apr, 2024

પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને પોતાના ઔતિહાસિક લોગોનો રંગ બદલીને કેસરી કર્યો છે. આ અંગે ડીડી ન્યુઝના અધિકારિક એક્સ હેન્ડલે જાહેરાત કરી છે. જેની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અમારું મુલ્ય એ જ છે, જોકે હવે અમે એક નવા અવતારમાં ઉપલબ્ધ છે. એક એવી સમાચાર યાત્રા માટે તૈયાર થઈ જાવ, જે પહેલા ક્યારેય જોવા મળી નથી. એકદમ નવા ડીડી ન્યુઝનો અનુભવ કરો. વિપક્ષ આ બદલાવથી નારાજ દેખાઈ રહ્યો છે. 

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી(ડીડી,એઆઈઆર)ના પૂર્વ સીઈઓ, જવાહર સરકારે લોગો બદલવા અંગે ટીકા કરતા કહ્યું કે આ તો દૂરદર્શનનું ભગવાકરણ છે. તેમણે એક્સ પર લખ્યું રાષ્ટ્રીય પ્રસારક દૂરદર્શને પોતાના ઐતિહાસિક ફ્લેગશીપ લોગોને ભગવો રંગ આપ્યો છે. તેના પૂર્વ સીઈઓના રૂપમાં તેમણે ભગવાકરણ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ હવે પ્રસાર ભારતી નહીં, પ્રચાર ભારતી છે. 

કોંગ્રેસના મનીષ તિવારીએ આરોપ લગાવ્યો કે દૂરદર્શનના લોગોનો રંગ બદલવો તે સરકારી સંસ્થાઓ પર કબ્જો કરવાનો પ્રયત્ન છે. યુપીએ સરકાર દરમિયાન તેઓ 2012થી 2014 સુધી કેન્દ્રીય સુચના અને પ્રસાર મંત્રી રહ્યાં હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે આ સરકારની તરફથી ભગવાદ અને સરકારી સંસ્થાઓ પર કબ્જો કરવાનો પ્રયત્ન છે.   

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎