:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મહાનદીમાં બોટ પલટતા 4ના મોત, 7 લોકો ગુમ ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેઠા હોવાથી બની દુર્ઘટના..

top-news
  • 20 Apr, 2024

ઓડિશાના ઝારસુગુડામાં ગઈ કાલે એક ભીષણ દુર્ઘટના બની હતી. ઝારસુગુડાની મહાનદીમાં સાંજે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં  મહાનદીમાં મહિલાઓ અને બાળકોને લઈ જતી બોટ અચાનક પલટી જતાં દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ બોટમાં લગભગ 50 મુસાફરો સવાર હતા. દુર્ઘટના ઘટી તે સમયે બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેઠા હોવાને કારણે તે પલટી ગઈ હોવાની વિગતો મળી રહી છે.

બોટ પાણીમાં પલટતા બનેલી ઘટનામાં 4મહિલાઓના  મોત થયા છે. જ્યારે નદીમાં  સાત લોકો ગુમ છે. બનાવની જાણ થતા જ ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમે તરત દોડી આવી હતી અને 48 લોકોને બચાવ્યા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

એજન્સીના જણાવ્યા અનુસાર ડીજી ફાયર સુધાંશુ સારંગીએ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે. અમારી પાસે સ્કુબા ડાઇવર્સ છે. પાણીની અંદર કેમેરા સાથે બે નિષ્ણાત સ્કુબા ડાઇવર મોકલવામાં આવ્યા છે. બચાવકાર્ય માટે ભુવનેશ્વરથી ઝારસુગુડા પહોંચવા માટે તાત્કાલિક એક ટીમ મોકલવામાં આવી રહી છે.આ ઘટના ઝારસુગુડાના લખનપુર બ્લોક હેઠળ સારદા પાસે મહાનદીમાં બની હતી. અહીં એક બોટ બાળકો અને મહિલાઓને લઈને જઈ રહી હતી, જે કોઈ કારણસર પલટી ગઈ હતી. 

આ ઘટનામાં મૃત્યુ પામેલા તથા ગુમ થયેલા લોકોના ઠેકાણા હજુ સુધી મળ્યા નથી, જેના કારણે તેમના પરિવારજનો પરેશાન છે.પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બોટ બરગઢ જિલ્લાના બંધીપાલી વિસ્તારમાંથી મુસાફરોને લઈને જઈ રહી હતી. જ્યારે બોટ પલટી ગઈ ત્યારે કેટલાક સ્થાનિક માછીમારો હાજર હતા, જેમણે હિંમત બતાવી 40 થી વધુ લોકોને બચાવ્યા. રેસ્ક્યુ ટીમ હજુ પણ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. જો કે મહાનદીના જોરદાર મોજાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎