:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

આઈટી સેક્ટરમાં કામ કરો છો: તો TCS, ઈન્ફોસિસના આ સમાચાર ખાસ વાંચજો...

top-news
  • 20 Apr, 2024

આઈટી સેક્ટરમાં કામ કરતા લોકો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ટીસીએસ, વિપ્રો અને ઈન્ફોસિસ સહિતની કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આ માર્ચમાં પુરા થયેલા નાણાંકીય વર્ષમાં આઈટી ક્ષેત્રમાં કામ કરતી આ ત્રણ અગ્રણી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં સંયુક્ત રીતે 64,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દાયકાથી આ કંપનીઓ એન્જીનિયરિંગ અને ટેક્નોલોજી ટેલેન્ટને નોકરીએ રાખવામાં ટોચ પર છે.

ઈન્ફોસિસની વાત કરીએ તો ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીનો રેવન્યુ ગ્રોથ 1 ટકાથી 3 ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે વિપ્રોની રેવન્યું 1.5 ટકા ઘટવાનું અનુમાન છે. જોકે આ રેવન્યુ ફરી પાછી જૂન મહીનામાં 0.5 ટકા વધવાની શક્યતા છે. આઈટી કન્સલ્ટિંગ કંપની એવરેસ્ટના સીઈઓ પીટર બેન્ડોર સેમ્યુઅલે જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન થઈ ગયેલી વધુ ભરતીને કારણે હાલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓની વાત કરીએ તો માંગ કરતા પુરવઠો વધુ હોવાની સ્થિતિ છે.

યુએસની ઈકોનોમિ તો હાલ મજબૂત છે. જોકે ટીસીએસ સીઈઓ કે ક્રિથીવાસને જણાવ્યું હતું કે યુએસની કંપનીઓને હાલ એ વાતની ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં મંદી આવવાની શક્યતા છે અને તેના કારણે તેઓ મોટો ખર્ચ કરતા વિચારી રહ્યાં છે. આ અંગે વિપ્રોના એચઆર ચીફ સૌરભ ગોવિલે કહ્યું હતું કે માંગના પ્રમાણમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવી જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેનાથી ઓપરેશનલ એફિસયન્સીમાં પણ સુધારો જોવા મળ્યો છે. ઈન્ફોસિસના સીએફઓ જયેશ સગરજાકાએ કહ્યું છે કે ભૂતકાળના વર્ષો કરતા હાલ જ્યારે માંગમાં ઘટાડો થયો છે, ત્યારે સંખ્યા ઘટાડવી જરૂરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎