:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

કેજરીવાલે કર્યો મોટો દાવો: તિહાડ જેલના હેલ્થ અપડેટ્સ ખોટા, જેલની સત્તાવાળાઓ પર રાજકીય દબાણ

top-news
  • 22 Apr, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાડ જેલ ઓથોરિટી અંગે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગે કહ્યું છે કે જેલની સત્તાવાળાઓ રાજકીય દબાણના પગલે મારા આરોગ્ય અંગે ખોટું અપડેટ આપી રહ્યાં છે. વધુ ડાયાબિટીસ હોવાના પગલે તેમણે ઓથોરિટીને ઈન્સ્યુલિનની જરૂર હોવાની પણ રજૂઆત કરી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર 20 એપ્રિલના રોજ કેજરીવાલનું કન્સલ્ટેશન એમ્સના ડોક્ટરો સાથે કરવામાં આવ્યું હતું. આ કન્સલ્ટેશનમાં જાણવા મળ્યું હતું કે તેમને કોઈ પણ  પ્રકારની ગંભીર બીમારી નથી. કેજરીવાલે સુપ્રિડેન્ટને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેમનો ડાયાબિટીસ 250થી 320ની વચ્ચે રહે છે. જોકે જેલના સત્તાવાળાઓ રાજકીય દબાણના પગલે તેમના આરોગ્ય અંગે ખોટી માહિતી આપી રહ્યાં છે. 

જોકે તેમનું આરોગ્ય સારું હોવાની વાતને એઈમ્સના ડોક્ટર્સે કહી હોવાની વાતને કેજરીવાલે સ્વીકારી નહોતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ડોક્ટર્સ તેમના હેલ્થના ડેટા અને હીસ્ટ્રી  આપશે. આમ આદમી પાર્ટીએ દાવો કરતા કહ્યું છે કે તિહાડ જેલની સત્તાવાળાઓ દ્વારા તેમને ઈન્જેક્શન આપવામાં આવતુ નથી અને આ વ્યુરચના એ કેજરીવાલને મારી નાંખવાનું કાવતરું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎