:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

CM કેજરીવાલ માટે વધુ એક માઠા સમાચાર: વીડિયો કોન્ફરન્સિંગથી ડોક્ટરની સલાહની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી

top-news
  • 22 Apr, 2024

તિહાડ જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્સ્યુલિનની માંગ પર દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે તેમની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડોક્ટર સાથે કન્સલ્ટેશન કરવા અંગેની અરજીને ફગાવી છે. 

આ અગાઉ આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાહત આપવાની માંગ કરતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ સિવાય દિલ્હી હાઈકોર્ટે અરજદારને 75 હજારનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે આ મામલામાં અરજદારને સીધી રીતે કોઈ લેવાદેવા નથી. હાઈકોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ જેલની અંદર છે અને તેઓ પોતે પણ કોર્ટમાં અરજી કરી શકે છે. જો તેમને કોઈ પણ પ્રકારની અન્ય રાહત જોઈતી હોય તો તેઓ અરજી કરી શકે છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી દ્વારા કોર્ટ પાસે માંગ કરવામાં આવી હતી કે સીએમ અરવિંદ કેજરીવાલને તેમના બાકી રહેલા કાર્યકાળ સુધી વચગાળાના જામીન આપવામાં આવે. 

અરજદારે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાના નામથી અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. આવી અરજી કઈ રીતે આપી શકાય. આ પ્રકારના મામલામાં આ વ્યક્તિ કોણ છે. તેનો સંપૂર્ણ પ્રચાર કરવા માટે અરજી કરવામાં આવ છે. હાઈકોર્ટની ટિપ્પણી પછી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્રાજે કહ્યું દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવી તે એક ટીખળ હતી. 

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાડ જેલ ઓથોરિટી અંગે પણ આજે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગે કહ્યું છે કે જેલની સત્તાવાળાઓ રાજકીય દબાણના પગલે મારા આરોગ્ય અંગે ખોટું અપડેટ આપી રહ્યાં છે. વધુ ડાયાબિટીસ હોવાના પગલે તેમણે ઓથોરિટીને ઈન્સ્યુલિનની જરૂર હોવાની વાત પણ કહી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર 20 એપ્રિલના રોજ કેજરીવાલનું કન્સલ્ટેશન એમ્સના ડોક્ટરો સાથે કરવામાં આવ્યું હતું. આ કન્સલ્ટેશનમાં જાણવા મળ્યું હતું કે તેમને કોઈ પણ  પ્રકારની ગંભીર બીમારી નથી. કેજરીવાલે સુપ્રિડેન્ટને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેમનો ડાયાબિટીસ 250થી 320ની વચ્ચે રહે છે. જોકે જેલના સત્તાવાળાઓ રાજકીય દબાણના પગલે તેમના આરોગ્ય અંગે ખોટી માહિતી આપી રહ્યાં તેવો કેજરીવાલનો દાવો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎