:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મલેશિયા-બે હેલિકોપ્ટર અથડાયા: 10નાં કરુણ મોત

top-news
  • 23 Apr, 2024

મલેશિયામાં બે નેવીના હેલિકોપ્ટરની ટક્કર થતા અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયાઈ નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને મેલિટ્રીના હેલિકોપ્ટર સામ-સામે અથડાયા હતા. 
નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુટના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક હેલિકોપ્ટર સાથે બીજા હેલિકોપ્ટરની ટક્કર થતી હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આ બંને હેલિકોપ્ટર ફેનેક એમ502-6 અને એચઓએમ એમ 503-3 હતા. પ્રથમ હેલિકોપ્ટર ક્રેશ થઈને સ્ટેડિયમના દાદરા પર પડ્યું હતું. જ્યારે બીજું સ્વમિંગ પુલમાં જઈને પડ્યું હતું.
મલેશિયાએ નેવીએ ઘટના પર શું કહ્યું?
મલેશિયાઈ નેવીએ આ ઘટના પર નિવેદન બહાર પાડતા કહ્યું હતું કે નેવીની 90મી વર્ષગાંઠ પર ત્રણથી પાંચ મેની વચ્ચે થનારી સૈન્ય પરેડનું રિહર્સલ થઈ રહ્યું હતું. આ ઘટનામાં નેવીએ દસ લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો હેલિકોપ્ટરમાં બેઠેલા ક્રૂ મેમ્બર્સ હતા. શબોને ઓળખ માટે એરબેસ પર મોકલવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે સ્થાનિક સમય મુજબ 9.32 વાગ્યે બની હતી. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎