:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કોર્ટે બાબાને કર્યો સવાલ: ભ્રામક જાહેરાતની તુલનામાં માફીનામું સાવ ટચુકડું કેમ?

top-news
  • 23 Apr, 2024

પતંજલિ આયુર્વેદ દ્વારા લોકોને ખોટી જાહેરાતો દ્વારા ગેરમાર્ગે દોરવાના મામલાની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટ સમક્ષ બાબા રામદેવ પણ હાજર હતા. કોર્ટ સામે હાજર થતા પહેલા કોર્ટે અગાઉ કહ્યાં મુજબનું માફીનામું પણ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે ખોટી જાહેરાત આપવા અંગેની ભૂલ ફરીથી કરાશે નહીં. કંપનીએ કહ્યું છે કે તે કોર્ટનો પણ આદર રાખશે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને સવાલ કરતા કહ્યું હતું કે શું માફીનામું એટલું જ મોટું છે, જેટલી ગેરમાર્ગ દોરનારી જાહેરાત હતી. 

આ અંગેનું માફીનામું એકમાત્ર ઈન્ડિયન એક્સપ્રેસમાં જાહેર કરવામાં આવ્યું છે તેમાં પતંજલિ આર્યુવેદ તરફથી સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે તે કોર્ટ અને બંધારણનો આદર જળવાય તે માટે પોતાની પ્રતિબદ્ધતા પર કાયમ છે. સાર્વજનિક માફીમાં બાબા રામદેવે પોતાના વકીલો દ્વારા કોર્ટમાં નિવેદન આપ્યા પછી પણ પતંજલિની જાહેરાત છપાવવા અને પ્રેસ કોન્ફરન્સ કરવા અંગે માફી માંગી છે.

પતંજલિએ માફીનામામાં શું કહ્યું છે 
બાબા રામદેવે પતંજલિ આયુર્વેદ તરફથી એવા સમયે માફી માંગી છે, જ્યારે સુપ્રીમ કોર્ટે ગેરમાર્ગે દોરે તેવી ફરિયાદને લઈને રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનો ઉધડો લીધો હતો. માફીનામામાં એવું કહેવામાં આવ્યું છે કે અમે  એ બાબતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ભૂલ બીજી વખત થશે નહિ.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎