:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સુપ્રીમના આદેશનું પાલન થયું: બાબાએ મોટી જાહેરાત આપીને લખ્યું-સોરી...

top-news
  • 24 Apr, 2024

પતંજલિએ લોકોને ગેરમાર્ગે દોરનારી જાહેરાત આપવાના મામલે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ન્યુઝપેપરમાં આ અંગે માફી માગી હતી. જોકે આ જાહેરાતની સરખામણીમાં ન્યુઝપેપરમાં પ્રસિદ્ધ થયેલું માફીનામું ખૂબ જ નાનું હોવાના કારણે કોર્ટે આ અંગે યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ પતંજલિ ફરીથી માફીનામું પ્રસિદ્ધ કરી માફી માંગી હતી. 

કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમને સવાલ કરતા કહ્યું હતું કે શું તમારા  માફીનામાની સાઈઝ તમારી પ્રોડક્ટસની જાહેરાત જેટલી જ છે કે તેનાથી નાની.  જોકે માફીનામાની સાઈઝ નાની હોવાના પગલે પતંજલિએ આ અંગે ફરી માફી માંગી હતી. કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે માફીનામાને મોટું કરીને અમારી સમક્ષ પ્રસિદ્ધ કરવાની જગ્યાએ તેને તેની મૂળ સાઈઝમાં અમારી સમક્ષ રજૂ કરો.

ધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી હતી કે પતંજલિ દ્વારા મોર્ડન મેડિસિનની ખોટી ટીકા કરવામાં આવે છે. બાદમાં કોર્ટે આ અંગે પંતજલિને તેની પ્રોડક્ટ્સની ખોટી રીતે જાહેરાત આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું હતું. એસોસિએશને એક્ટ 1954 મુજબ આવી જાહેરાતો આપવી, તે ગેરકાયદેસર હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎