:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો: તમારી ભેગી કરેલી સંપત્તિ તમારા બાળકોને નહીં મળે

top-news
  • 24 Apr, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે છત્તીસગઢના સરગુજામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા શ્યામ પિત્રોડાના ઈનહેરિટન્સ ટેક્સવાળા નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની દાનત સારી નથી. હવે તેમની ખરાબ દાનત બહાર આવી ગઈ છે. તેના કારણે તે ઈનહેરિટન્સ ટેક્સની વાત કરી રહી છે.

મોદીએ કહ્યું કે કોંગ્રેસની નજર તમારી કમાણી પર છે. તમારા મકાન, દુકાન અને ખેતર પર. કોંગ્રેસના શેહજાદેનું કહેવું છે કે તે દેશના દરેક ઘર, દરેક છાજલી અને દરેક પરિવારની સંપત્તિનો એક્સરે કરશે. આપણી માતાઓ, બહેનો પાસે જે કંઈ પણ થોડું ઘણું સ્ત્રીધન છે, તેની તે તપાસ કરાવશે. માતાઓ અને બહેનોનું મંગળસૂત્ર છીનવી લેશે. 

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ તમારા માતા-પિતાનો વારસો છીનવી લેશે. કોંગ્રેસનું કહેવું છે કે ઈનહેરિટન્સ ટેક્સ લગાવશે. તે ઈચ્છતી નથી કે તમે તમારી મહેનતથી જે સંપત્તિ ભેગી કરી છે, તે તમારા બાળકોને મળે. તે ઈચ્છતી નથી કે ભારતીય પોતાની સંપત્તિ પોતાના બાળકોને આપે. આ પાર્ટી પર હવે અર્બન નક્સલનો કબજો છે. તે તમારા દુકાન અને મકાન પણ છીનવી લેશે. 
 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎