:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચૂંટણીને કન્ટ્રોલ ન કરી શકીએ: VVPAT સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

top-news
  • 24 Apr, 2024

સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા વોટોની સાથે તમામ વોટર-વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલની તમામ પહોંચને મેળવવાની અરજીઓને લઈને બુધવારે સુનાવણી હાથ ધરાઈ હતી. બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે EVM-VVPAT મામલામાં આ ટેક્નિક સાથે જોડાયેલા ચાર-પાંચ અન્ય મુદ્દાઓ અંગે પણ માહિતી માંગી અને ચૂંટણી અધિકારીઓને બપોરે બે વાગ્યા પછી બોલાવ્યા હતા. 

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિ દત્તાની પીઠે કહ્યું કે અમે ચૂંટણીને કન્ટ્રોલ કરી શકતા નથી. અમે કોઈ અન્ય બંધારણીય પ્રાધિકરણના કામકાજને નિયંત્રિત કરી શકતા નથી. ઈસીઆઈએ શંકા દૂર કરી દીધી છે. અમે તમારી વિચાર પ્રક્રિયાને બદલી શકતા નથી, અમે એવું પણ ન કરી શકીએ કે શંકાના આધારે ઓર્ડર પાસ કરી દઈએ. 

જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે અમે મેરિટ પર બીજી વખત સુનાવણી ન કરી શકીએ. અમે કઈંક નિશ્ચિત સ્પષ્ટીકરણ ઈચ્છીએ છે. અમારા કેટલાક સવાલ હતા અને અમને જવાબ પણ મળ્યા. હાલ અમે ચુકાદાને સુરક્ષિત રાખીએ છે. આ દરમિયાન કોર્ટમાં અડધો કલાકથી વધુ સુનાવણી ચાલી હતી. અરજદારમાંથી એક માટે વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું કે ઈવીએમમાં પ્રોસેસર ચીપ માત્ર એક વખત જ પ્રોગ્રામ કરી શકાય છે, તેની પર શંકા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎