:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

PM મોદી -રાહુલના મામલે ચૂંટણીપંચની કાર્યવાહી: કોંગ્રેસ-બીજેપીને આપી નોટીસ

top-news
  • 25 Apr, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલામાં ચૂંટણી આયોગે કાર્યવાહી કરી છે. ચૂંટણી આયોગે પીએમ મોદી અને રાહુલ ગાંધીના ભાષણને લઈને ભાજપ અને કોંગ્રેસને નોટીસ ફટકારી છે. ચૂંટણી આયોગે 29 એપ્રિલ સુધી ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરીયાદ કરી હતી અને બીજેપીએ રાહુલ ગાંધીની ફરિયાદ કરી હતી.

ચૂંટણી આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે-સાથે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચાર સંહિતાનું કથિત ઉલ્લંઘન કરવા અંગેની નોંધ લીધી છે. રાજસ્થાનના બંસવાડામાં વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષોની ફરિયાદ પર ચૂંટણી આયોગે ભાજપ પાસે જવાબ માંગ્યો છે. ચૂંટણી આયોગે વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધીની વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપોને ભાજપ, કોંગ્રેસ પ્રમુખોની સાથે શેર કર્યા અને તેની પર 29 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎