તિહાડમાં સ્વસ્થ છે અરવિંદ કેજરીવાલ: જાણો ડોક્ટર્સે શું કહ્યું...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27042024_100357_Kejriwal 1.webp)
- 27 Apr, 2024
દિલ્હીની એક કોર્ટના નિર્દેશ પર ગંઠિત પાંચ સભ્યોના મેડિકલ બોર્ડે તિહાડ જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બે યુનિટ ઈન્સ્યુલિન લેતા રહેવાની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમની નિર્ધારીત દવાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીની એક કોર્ટના આદેશ પર દિલ્હી એમ્સના પાંચ ડોક્ટરની ટીમે શનિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી.
લગભગ અડધો કલાક સુધી ચાલેલા વીડિયો કોન્ફરન્સમાં મેડિકલ બોર્ડના સભ્યો સિવાય તિહાડ જેલના બે ડોક્ટરો પણ સામેલ થયા હતા. એક સપ્તાહ બાદ કેજરીવાલના સ્વાસ્થ્યની બીજી વખત સમીક્ષા કરવામાંઆવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મેડિકલ બોર્ડે અરવિંદ કેજરીવાલને તે જ દવાઓને ચાલુ રાખવાનું કહ્યું છે, જે પહેલા લેતા હતા. આ સપ્તાહની શરૂઆતમાં અરવિંદ કેજરીવાલનું શુગરનું લેવલ 320 સુધી પહોંચ્યા પછી AAP સુપ્રીમોને તિડાહ જેલમાં ઈન્સ્યુલિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ