:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

તિહાડમાં સ્વસ્થ છે અરવિંદ કેજરીવાલ: જાણો ડોક્ટર્સે શું કહ્યું...

top-news
  • 27 Apr, 2024

દિલ્હીની એક કોર્ટના નિર્દેશ પર ગંઠિત પાંચ સભ્યોના મેડિકલ બોર્ડે તિહાડ જેલમાં મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલને બે યુનિટ ઈન્સ્યુલિન લેતા રહેવાની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમની નિર્ધારીત દવાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીની એક કોર્ટના આદેશ પર દિલ્હી એમ્સના પાંચ ડોક્ટરની ટીમે શનિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી. 

લગભગ અડધો કલાક સુધી ચાલેલા વીડિયો કોન્ફરન્સમાં મેડિકલ બોર્ડના સભ્યો સિવાય તિહાડ જેલના બે ડોક્ટરો પણ સામેલ થયા હતા. એક સપ્તાહ બાદ કેજરીવાલના સ્વાસ્થ્યની બીજી વખત સમીક્ષા કરવામાંઆવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મેડિકલ બોર્ડે અરવિંદ કેજરીવાલને તે જ દવાઓને ચાલુ રાખવાનું કહ્યું છે, જે પહેલા લેતા હતા. આ સપ્તાહની શરૂઆતમાં અરવિંદ કેજરીવાલનું શુગરનું લેવલ 320 સુધી પહોંચ્યા પછી AAP સુપ્રીમોને તિડાહ જેલમાં ઈન્સ્યુલિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎