:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સંદેશખાલીમાં CBIએ દરોડા પાડ્યા: ટીમે ઓપરેશન હાથ ધરીને વિદેશી પિસ્તોલ-હથિયારો જપ્ત કર્યા

top-news
  • 27 Apr, 2024

દેશમાં લોકસભાની ચુંટણીઓ ચાલી રહી છે .બે તબક્કાનું મતદાન હાલમાં પૂર્ણ થઈ ગયું છે . ત્યારે બીજા તબકકાના મતદાન પૂર્વે સીબીઆઇને સંદેશખાલીમાં હથિયારોનો મોટો જથ્થો સંતતાડવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી . એ વિગતોના આધારે સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા . જેને લઇનેtmc 
દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો .

બનાવની વધુ વિગતો મુજબ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન શુક્રવારે CBIએ સંદેશખાલીમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈના આ દરોડાથી બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી નારાજ છે. મમતા સરકારએ CBI વિરુદ્ધ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી.સંદેશખાલીમાં તપાસ દરમિયાન સીબીઆઈને ઈનપુટ મળ્યા હતા કે હથિયારોનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. શુક્રવારે ટીમે ઓપરેશન હાથ ધરીને વિદેશી પિસ્તોલ સહિત અનેક હથિયારો જપ્ત કર્યા હતા. 

કોલકાતાથી 100 કિલોમીટર દૂર સુંદરબનના સરહદી વિસ્તારમાં આવેલા સંદેશખાલીમાં છેલ્લા એક વર્ષથી હિંસા ચાલી રહી હતી . હકીકતમાં, ગામની મહિલાઓએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ટીએમસી નેતા શાહજહાં શેખ અને અન્ય ટીએમસી નેતાઓએ તેમની જમીનો કબજે કરી લીધી છે અને કેટલીક મહિલાઓએ ટીએમસી નેતાઓ પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. આ અંગે સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ કર્યો હતો. સંદેશખાલીમાં પણ ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. શાહજહાં શેખ રાશન કૌભાંડનો આરોપી છે અને શાહજહાં શેખ તાજેતરમાં ED ટીમ પર થયેલા હુમલામાં પણ આરોપી છે. જ્યારે બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎