:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફરી ઈજા થઈ: હેલિકોપ્ટરમાં ચઢતી વખતે પડ્યા

top-news
  • 27 Apr, 2024

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક વખત ફરી ઈજાગ્રસ્ત થયા છે. દુર્ગાપુરમાં હેલિકોપ્ટરમાં ચઢવા દરમિયાન મમતા બેનર્જીને આ ઈજા પહોંચી છે. તેઓ હેલિકોપ્ટરમાં જ પડી ગયા હતા. તેઓ દુર્ગાપુરથી આસનસોલ જઈ રહ્યાં હતા. તેમણે ત્યાં ટીએમસી ઉમેદવાર શત્રુધ્ન સિન્હાના સમર્થનમાં એક રેલી સંબોધવાની હતી. મમતા બેનર્જી જ્યારે હેલિકોપ્ટરની અંદર જઈ રહ્યાં હતા, તે સમયે તેમનું બેલેન્સ જતુ રહ્યું અને તેઓ પડી ગયા. 

તેમના સુરક્ષા કર્મચારીઓએ તેમને તાત્કાલિક મદદ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી   થોડીવાર પછી દુર્ગાપુરથી આસનસોલ માટે રવાના થઈ ગયા હતા. ટીએમસીના સૂત્રોએ જણાવ્યું કે તેમને ખૂબ ગંભીર ઈજા પહોંચી નથી અને તે આસનસોલમાં પાર્ટીની ચૂંટણી રેલીમાં સામેલ થશે. ટીએમસી સુપ્રીમો થોડા દિવસ પહેલા પોતાના નિવાસ સ્થાનમાં ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ તેમના ઘરમાં ચક્કર લગાવી રહ્યાં હતા, ત્યારે અચાનક જ પડી ગયા હતા, જેના પગલે તેમના માથામાં ઈજા થઈ હતી. બાદમાં તેમને તાત્કાલિક સારવાર માટે એસએસકેએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ટાંકા પણ લેવામાં આવ્યા હતા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎