પૂનમ મહાજનની ટિકિટ કપાઈ: કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ બનશે ભાજપના ઉમેદવાર
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27042024_131037_UV-1.webp)
- 27 Apr, 2024
લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોની 15મી યાદી બહાર પાડી છે. બીજેપીએ પૂનમ મહાનની ટિકિટ કાપી નાંખી છે. જ્યારે આતંકી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તરમધ્યમાંથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલ નિકમ દેશના સૌથી જાણીતા વકીલમાંથી એક છે, તેઓ અજમલ કસાબને ફાંસી અપાવવાથી લઈને 1993ના બોમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યાકાંડ અને પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈપ્રોફાઈલ મામલાઓમાં સરકારી પક્ષ તરફથી હાજર રહી ચુક્યા છે.
પૂનમ મહાજનની વાત કરીએ તો 2006માં પિતા પ્રમોદ મહાજનની હત્યા પછીથી તે ભાજપમાં સામેલ થઈ હતી. 2009માં પ્રથમ વખત તે ધાટકોપર વેસ્ટથી ચૂંટણી લડ્યા હતા. જોકે હારી ગયા હતા. 2014માં મુંબઈ નોર્થ સેન્ટ્રલથી તેમણે કોંગ્રેસની પ્રિયા દત્તાને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે પૂનમ ટ્રેન્ડ પાયલટ છે. તેઓએ ટ્રેનિંગ અમેરિકાના ટેક્સાસથી લીધી છે. તેમની પાસે 300 કલાક ફ્લાઈંગનો અનુભવ છે.