:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સંજય નિરુપમ નવી રાજકીય સફર શરૂ કરશે : એકનાથ શિંદેના નેતૃત્વમાં જલ્દી શિવસેનામાં જોડાશે ...

top-news
  • 02 May, 2024

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નેતા સંજય નિરુપમ આખરે પોતાની નવી રાજકીય સફર ની શરૂઆત ટુંક સમયમાં કરશે , તેઓ મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાઈને સફર શરૂ કરશે. આ માહિતી જાતે સીએમ એકનાથ શિંદેએ આપી હતી. તેમણે કહ્યું કે તેઓ સંજય નિરુપમને મળ્યા છે, અને તેઓ જલ્દી અમારી પાર્ટીમાં જોડાશે.

સીએમ શિંદેને મળ્યા બાદ સંજય નિરુપમે કહ્યું, અમે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. હું તેમને મળવા આવ્યો હતો. અમે ભવિષ્યમાં મારી ભૂમિકા શું હશે તેની પણ ચર્ચા કરી છે. નિશ્ચિતપણે, શિવસેનાનો દરેક ઉમેદવાર ચૂંટણી જીતે તેનો પ્રયત્ન કરીશું. હું ચૂંટણી નહીં લડું. આ તો મારી ઘર વાપસી છે.

સીએમ એકનાથ શિંદેએ મુંબઈની તમામ સીટો પર એનડીએની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, “અમે મુંબઈની તમામ 6 બેઠકો જીતીશું અને મહાયુતિ દરેક જગ્યાએ જીતશે. હું જ્યારથી મહારાષ્ટ્ર નો સીએમ બન્યો છું, મુંબઈમાં વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈમાં 2 જાહેરસભાઓ કરશે. અમે તેમને વિનંતી કરી હતી અને તેમણે અમને ખાતરી આપી છે.

સંજય નિરુપમને આશા હતી કે તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ મળી શકે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા. જોકે, નિરુપમે દાવો કર્યો હતો કે તેમણે પોતે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ પછી સંજય નિરુપમ બીજેપી અને શિવસેનામાં જોડાશે તેવી ચર્ચા હતી. પરંતુ જ્યારે સીએમ શિંદેની પાર્ટીએ મુંબઈ નોર્થ વેસ્ટથી રવિન્દ્ર વાયકરને ટિકિટ આપી ત્યારે તેને સંજય નિરુપમ માટે આંચકા તરીકે જોવામાં આવ્યું હતું.

પરંતુ હવે સંજય નિરુપમે પોતે જ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. સંજય નિરુપમ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. લોકસભા અને રાજ્યસભાના સભ્ય ચુંટાયા. તેઓ અવિભાજીત શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે વિભાજિત શિવસેનાનો ભાગ બનવાનું નક્કી કર્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/dloE5