સંજય નિરુપમ નવી રાજકીય સફર શરૂ કરશે : એકનાથ શિંદેના નેતૃત્વમાં જલ્દી શિવસેનામાં જોડાશે ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02052024_125702_2-3.webp)
- 02 May, 2024
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નેતા સંજય નિરુપમ આખરે પોતાની નવી રાજકીય સફર ની શરૂઆત ટુંક સમયમાં કરશે , તેઓ મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાઈને સફર શરૂ કરશે. આ માહિતી જાતે સીએમ એકનાથ શિંદેએ આપી હતી. તેમણે કહ્યું કે તેઓ સંજય નિરુપમને મળ્યા છે, અને તેઓ જલ્દી અમારી પાર્ટીમાં જોડાશે.
સીએમ શિંદેને મળ્યા બાદ સંજય નિરુપમે કહ્યું, અમે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. હું તેમને મળવા આવ્યો હતો. અમે ભવિષ્યમાં મારી ભૂમિકા શું હશે તેની પણ ચર્ચા કરી છે. નિશ્ચિતપણે, શિવસેનાનો દરેક ઉમેદવાર ચૂંટણી જીતે તેનો પ્રયત્ન કરીશું. હું ચૂંટણી નહીં લડું. આ તો મારી ઘર વાપસી છે.
સીએમ એકનાથ શિંદેએ મુંબઈની તમામ સીટો પર એનડીએની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, “અમે મુંબઈની તમામ 6 બેઠકો જીતીશું અને મહાયુતિ દરેક જગ્યાએ જીતશે. હું જ્યારથી મહારાષ્ટ્ર નો સીએમ બન્યો છું, મુંબઈમાં વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈમાં 2 જાહેરસભાઓ કરશે. અમે તેમને વિનંતી કરી હતી અને તેમણે અમને ખાતરી આપી છે.
સંજય નિરુપમને આશા હતી કે તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ મળી શકે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા. જોકે, નિરુપમે દાવો કર્યો હતો કે તેમણે પોતે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ પછી સંજય નિરુપમ બીજેપી અને શિવસેનામાં જોડાશે તેવી ચર્ચા હતી. પરંતુ જ્યારે સીએમ શિંદેની પાર્ટીએ મુંબઈ નોર્થ વેસ્ટથી રવિન્દ્ર વાયકરને ટિકિટ આપી ત્યારે તેને સંજય નિરુપમ માટે આંચકા તરીકે જોવામાં આવ્યું હતું.
પરંતુ હવે સંજય નિરુપમે પોતે જ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. સંજય નિરુપમ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. લોકસભા અને રાજ્યસભાના સભ્ય ચુંટાયા. તેઓ અવિભાજીત શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે વિભાજિત શિવસેનાનો ભાગ બનવાનું નક્કી કર્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ