યુએનમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર: આતંકીના મોઢે શાંતિની વાત ન શોભે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03052024_064019_India.webp)
- 03 May, 2024
યુએન જનરલ એસમ્બલીમાં ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. ભારતે કહ્યું હતું કે તેનો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ છે. પાકિસ્તાનના રાજદ્રારી દ્વારા યુએન જનરલ એસેમ્બલી બેઠકમાં ભારતના કાશ્મીર, સિટિઝનશીપ(અમેન્ડમેન્ટ) એક્ટ અને અયોધ્યાના રામ મંદિર બાબતે ટિપ્પણી કરતા ભારતે તેના વળતા જવાબમા પાકિસ્તાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ભારતના યુએનના કાયમી પ્રતિનિધિ એવા રુચિરા કાબોજે પાકિસ્તાનની નિંદા કરી હતી. પાકિસ્તાના યુએનના રાજદ્રારી એવા મુનીર અકરમે પહેલા કાશ્મીર, સિટિઝનશીપ(અમેન્ડમેન્ટ) એક્ટ અને અયોધ્યાના રામ મંદિર મુદ્દે ભારતની નિંદા કરતા તેના વળતા જવાબમાં ભારતના યુએનના કાયમી પ્રતિનિધિએ રુચિરા કામબોજે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. કલ્ચર ઓન પીસના મુદ્દે યોજાયેલી આ બેઠકમાં ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદ સીધી રીતે જ કલ્ચર ઓન પીસનો વિરોધી છે. આ સિવાય તમામ ધર્મનો મુખ્ય સારાંશ એવા કરુણા , સમજણ અને સહઅસતિત્વથી પણ તે વિપરીત છે. તેના પગલે સમગ્ર વિશ્વમાં એકતા પણ જળવાતી નથી.
કબોજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારત સતત શાંતિ જળવાય તે માટે પ્રયત્નશીલ છે. ભારતમાં તમામ હિન્દુ, બોદ્ધ, જૈન, શીખ, ઈસ્લામ, ખ્રિસ્તી સહિતના ધર્મો છે. અમારા ત્યાં વિવિધતામાં એકતા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ