કેજરીવાલની વચગાળાની જામીન અરજી સાંભળવામાં આવશે: 7મેના રોજ હાથ ધરાશે સુનાવણી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03052024_122625_Kejriwal 22.webp)
- 03 May, 2024
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત મળે તેવી વાત તેમની વચગાળાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કહી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી)ને કહ્યું હતું કે તે દિલ્હીમાં લોકસભા ચૂંટણીના પગલે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પરની દલીલને સાંભળશે. ઉલ્લેખનીય છે કે હાલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરાબ નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ મામલામાં જેલમાં બંધ છે.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાનકર દત્તાની બેન્ચે ઈડી તરફથી રજૂઆત કરતા એડીશનલ સોલિસિટર જનરલ એસ વી રાજૂને કહ્યું હતું કે હાલના તબક્કે અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે કરાયેલી અરજીની સુનાવણી કરવામાં સમય લાગશે, તેથી કોર્ટ તેમની વચગાળાની અરજી પર એજન્સીની દલીલોને સાંભળવા વિચારણ કરી રહી છે. એડિશનલ સોલિસિટરે આ અંગે કહ્યું હતું કે કેજરીવાલની વચગાળાની જામીન અરજીનો તે વિરોધ કરશે.
બેન્ચે સોલિસિટરનો જવાબ સાંભળતા કહ્યું હતું કે અમે વચગાળાની જામીન અરજીને સાંભળવાની વાત કરી રહ્યાં છે. વચગાળાની અરજીને ગ્રાહ્ય રાખવાની વાત કરતા નથી. અમે આ અરજી ગ્રાહ્ય રાખીએ પણ ખરા અને ન પણ રાખીએ. કોર્ટે આ અરજીની વધુ સુનાવણી 7 મેના રોજ નિયત કરીને રાજુને આ અંગે દલીલ કરવા સંપૂર્ણ તૈયારી સાથે આવવા કહ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ