નિજ્જરની હત્યા કેસમાં ત્રણ ભારતીયોની ધરપકડ: ભારત-કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ વધવાની શક્યતા
- 04 May, 2024
બી. સી. શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરના હત્યા કેસમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સવારે કેનેડાની પોલીસ ત્રણ ભારતીય નાગરિકોને કસ્ટડીમાં લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે નિઝરની હત્યા બ્રિટિશ કોલંબિયાના સુરેના એક ગુરુ નાનક શીખ ગુરુદ્વારામાં એક વર્ષ પહેલા ગોળી મારીને કરવામાં આવી હતી.
સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે શંકાસ્પદો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા પરંતુ તેમણે ભારતીય ગુપ્તચરની સુચના મુજબ તે સમયે નિજ્જર હત્યા કરી હતી. બ્રિટિશ કોલંબિયાની કોર્ટના રેકોર્ડ મુજબ કરનપ્રિત સિંહ(28), કમલપ્રિત સિંહ(22) અને કરન બરાર(22) પર હત્યા અને નિઝરની હત્યા માટેનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ગુનો સુરે અને એડમિન્ટનમાં બન્યો હતો, જ્યાં આ તમામ વ્યક્તિઓ રહેતા હતા. આ હત્યા કેસમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની વાત પોલીસ કરી રહી છે.
પોલીસ કમિશનર ડેવિડ ટેબોલે જણાવ્યું હતું કે હજી પણ આ મામલે તપાસ ચાલી જ રહી છે. આ કેસમાં બીજા કેટલાક પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ એ બાબતે પણ તપાસ ચાલી રહી છે કે આ પ્રકરણમાં ભારતની સંડોવણી છે કે કેમ. ટેબોલે વધુમાં જણાવ્યું હતું કે હાલ કેનેડાની પોલીસ આ મામલે ભારત સાથે પણ કોઓર્ડિનેશન કરી રહી છે.
ધ વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશને આ ધરપકડના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અને ક્રિમિનલ ગેગ વચ્ચે મિલિભગત હોવાના સવાલો આ હત્યાના કારણે સર્જાયા હતા. એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે કે ખાલીસ્તાન ચળવળને સમર્થન કરવા બદલ ભારત સરકારે નિજ્જરની હત્યા કરાવી હોય તેવું પણ બની શકે. નોંધનીય છે કે નિજ્જર દ્વારા ભારતમાંથી શીખ બહુમતી ધરાવતા પંજાબને આઝાદ કરવાની વાતનું સમર્થન કરવામાં આવ્યું હતું.
ગત સપ્ટેમ્બરમાં વડાપ્રધાન જસ્ટીન ટ્રુ઼ડોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આગળી ચીંધતા કહ્યું હતું કે આ કેસમાં ભારતીય એજન્ટ્સ સંડોવાયેલા હોવાની ચોક્કસ માહિતી આ અંગેની તપાસ કરતા પ્રાપ્ત થઈ છે. જોકે આ વાતને ભારતે નકારી હતી. બાદમાં આ જ મુદ્દે ભારે ઘર્ષણ થયું હતું અને ઓટાવા અને નવી દિલ્હીએ એકબીજાના રાજદ્વારીઓને એકબીજાને ત્યાંથી કાઢી મૂક્યા હતા.
કેનેડાના અધિકારીઓ હાલ એ અંગેની તપાસ કરી રહ્યાં છે કે ખાલીસ્તાનને અલગ કરવા અંગેની ચળવળને દબાવી દેવાના ભાગરૂપે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી કે કેમ. જેના મૂળિયા કેનડાના શીખો અને વિશ્વમાં અન્ય જગ્યાએ રહેતા શીખો સુધી છે. કેનેડાની પોલીસ હાલ એ મુદ્દે પણ ચર્ચા કરી રહી છે કે નિજ્જરની હત્યા એ ભારતીય ગુપ્તચર ઓપરેશન દિલ્હીનો એક ભાગ હતો કે શું? જેમાં ભારતના વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વ્યવસાયે પ્લમ્બર અને ગુરુદ્વારાના પ્રેસિડન્ટ એવા નિજ્જર(45) પર ભારતે આક્ષેપ લગાવ્યો હતો કે તેઓ ખાલીસ્તાન ટાઈગર ફોર્સ ટેરેરિસ્ટ ગ્રુપના નેતા હતા. જોકે તેમણે આ વાતને ઠુકરાવી હતી. આ સિવાય કેનેડામાં પણ તેમની સામે કોઈ જ ગુના નોંધાયા નહોતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ