:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કોંગ્રેસે આપ્યો "શેહજાદા"નો જવાબ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યાં-"શહેનશાહ"

top-news
  • 04 May, 2024

ગુજરાતમાં હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રાજ્યના બનાસકાંઠામાં એક રેલીમાં સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદીને શહેનશાહ(રાજાઓના પણ રાજા) કહ્યાં હતા. તેમણે કહ્યું કે મોદી મહેલમાં રહે છે પરંતુ લોકો સાથે તેમનું જોડાણ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શેહજાદા કહીને સંબોધે છે. 

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આજે પક્ષના નેતા ગેનીબેન ઠાકોર માટે બનાસકાંઠાના લખાનીમાં એક રેલીને સંબોધી હતી. પ્રિયંકાએ રેલીને સંબોધતા કહ્યું હતું કે વડાપ્રધાન મારા ભાઈને શેહજાદા કહે છે. હું તેમને કહેવા માંગું છું કે આ જ શેહજાદા કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4,000 કિલોમીટર ચાલ્યા હતા. આ યાત્રા દરમિયાન તેમણે લોકોની સમસ્યાઓને સાંભળી હતી. તે વખતે તે ખેડૂતો, મજૂરો સહિતના લોકોને મળ્યાં હતા અને તેમની વ્યથાને સાંભળી હતી અને તેનું સમાધાન કઈ રીતે લાવી શકાય તે અંગે પણ વાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગુરુવારે ગુજરાતમાં એક સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન શેહજાદા દેશના વડાપ્રધાન બને તેની રાહ જોઈ રહ્યું છે. દેશના દુશ્મનો તો એમ જ ઈચ્છે કે દેશમાં નબળી સરકારની રચના થવી જોઈએ.

પ્રિયંકાએ કહ્યું હતું કે એકબાજુ નરેન્દ્ર મોદીજી જેવા શેહનશાહ છે, જે હમેશાં મહેલમાં રહે છે. તમે તેમને ક્યારેય ટીવીમાં જોયા છે? તેઓ હમેશાં એક પણ ડાઘો પડેલો ન હોય તેવા વસ્ત્રોમાં જોવા મળે છે, આ સિવાય તેમનો એક પણ વાળ ચૂંથાયેલો હોતો નથી. તેમને તમારા સખ્ત પરિશ્રમનો અંદાજ કઈ રીતે આવશે, કઈ રીતે તે તમારી ખેતીને સમજી શકશે, તેમને એ વાતનો પણ અંદાજ કઈ રીતે આવશે કે ફુગાવાએ તેની મર્યાદાને વટાવી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ દેશના બંધારણને બદલવા માંગે છે અને બંધારણ દ્વારા લોકોને તેમના પ્રાપ્ત થયેલા અધિકારને ઘટાડવા માંગે છે.

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે જો તમને રાજકારણમાં સમજ પડતી હોય તો મુદ્દાની વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીએ લોકોના હકને નબળા કરવાનું જ કામ કર્યું છે. બીજેપીએ બનાસકાંઠામાં એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર રેખા ચૌધરીને ટિકિટ આપી છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીના મેદાનમાં છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎