:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

CM કેજરીવાલની વચગાળાની જામીન અરજી: સુપ્રીમ કોર્ટ ગુરુવારે આપી શકે છે ચુકાદો

top-news
  • 06 May, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આપ્યા વગર જ સુપ્રીમ કોર્ટની બેન્ચ ઉઠી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે શરાબ પોલીસીને લગતા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી ધરપકડને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠ હવે આ મામલે 9 મેના રોજ ચુકાદો આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે આ મામલમાં ધરપકડ કરવામાં આવી હતી. તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં બંધ છે.

સુનાવણી દરમિયાન ઈડી તરફથી રજૂઆત કરતા સોલિસિટર જનરલ એસવી રાજૂ તરફથી વધુ એક નોટ આપવામાં આવી હતી. તેમણે કેજરીવાલની એ દલીલનો વિરોધ કર્યો કે તપાસ એજન્સીએ સરકારી સાક્ષીઓના નિવેદનોને દબાવ્યા છે. કોર્ટે ઈડીને દિલ્હી લીકર પોલીસી કોભાંડ પર નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ પહેલા અને પછી ફાઈલ થયેલા કેશની ફાઈલને રજૂ કરવા માટે કહ્યું હતું. આ સિવાય કોર્ટે ઈડી પાસે કેજરીવાલની ધરપકડ થઈ તે પહેલાની પણ કેસ ફાઈલ માંગી હતી. સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલે ઈડીને નોટિસ ફટકારી હતી અને કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજી પર જવાબ માંગ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎