:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે 70 વિમાનો રદ કર્યા: જાણવા જેવું છે કારણ...

top-news
  • 08 May, 2024

એર ઈન્ડિયા એક્સપ્રેસે તેની 70થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને ડોમેસ્ટીક ફ્લાઈટ્સને મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી રદ કરી હતી. એરલાઈન્સે સિનિયર ક્રુ મેમ્બર્સ રજા પર જતા રહેતા આ પગલું ઉઠાવ્યું હતું. આ અંગેની માહિતી એરલાઈન્સના પ્રવક્તાએ આપી હતી. 

ઘણા બધા ક્રુ મેમ્બર્સ છેલ્લી ઘડી બીમાર પડતા એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્લાઈટ્સને રદ કરવાની ફરજ પડી હતી. એરલાઈન્સે વધુમાં કહ્યું હતું કે આ સમગ્ર ઈસ્યુને સમજવામાં અમારી એક ટીમ લાગેલી છે અને અમે અમારા મહેમાનોને આ પગલાના કારણે જે તકલીફ થઈ તેને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. ફ્લાઈટ્સ રદ થવાના કારણે જે લોકો મુસાફરી કરી શક્ય નહોતા તેમને તેમની ટિકિટના પૈસા રિફન્ડ કરાશે. આ સિવાય જો તે લોકો પોતાની મુસાફરીની તારીખને રિશિડ્યુલ કરવા માંગતા હશે તો તે પણ કરી શકશે. 

જે લોકોને આજે પણ ફ્લાઈટ્સ હોય તે લોકો એક  વખત તેમની ફ્લાઈટ્સનું સ્ટેટ્સ ઓનલાઈન ચેક કરીને પછી જ એરપોર્ટ પર આવે. આ સમગ્ર ઘટના અંગે એરલાઈન્સે માફી માંગી હતી. આ સિવાય સમગ્ર મામલાની હાલ સિવિલ એવિએશન ઓથોરિટી પણ ચકાસી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎