:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એસ્ટ્રાઝેનેકા રસી પરત ખેંચશે: આડઅસરના કારણે લેવાયો નિર્ણય

top-news
  • 08 May, 2024

એસ્ટ્રાઝેનેકાએ તેની કોવીડ-19ની વેક્સિન પરત લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. એન્ગલો-સ્વીડિશ ડ્રગ મેકરે આ નિર્ણય આ રસીના કારણે થતી સાઈડ ઈફેક્ટના પગલે લીધો છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ કોર્ટમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેની વેક્સિનના પગલે બ્લડ ક્લોટિંગ અને બ્લડ પેલેટલેટ્સ કાઉન્ટ્સ ઓછા થવા સહિતની આડ અસર થઈ રહી છે. 

કંપનીએ મંગળવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ કંપની પાસે નવી તૈયાર થયેલી વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ હોવાના પગલે તે વિશ્વમાંથી તેની તમામ જૂની રસીને પરત ખેંચી લેશે. કંપનીએ વધુમાં કહ્યું હતું કે તે યુરોપમાાંથી વેક્સઝેવરીયાનું માર્કેટિંગ ઓથોરાઈઝેશન પણ પરત લઈ લેશે. કંપનીએ આ વેક્સિનને માર્કેટમાંથી પરત લેવા અંગેની વાત એક અહેવાલ મુજબ 5 માર્ચે કરી હતી. આજે લગભગ એક મહિના પછીથી કંપનીએ તેની અમલવારી શરૂ કરી છે.

લંડનની એસ્ટ્રેઝનેકાની રસીનું કોવિડ-19 પછી વેચાણ ઘટતા કંપનીએ રેસપિરેટરી સિનિટિકલ વાઈરસ વેક્સિન અને ઓબેસિટી ડ્રગ પર ગત વર્ષે સંખ્યાબંધ કરારો કર્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎