:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સામ પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન: ભારતના પૂર્વોત્તરના લોકો ચાઈનીઝ જેવા લાગે છે...

top-news
  • 08 May, 2024

ઈન્ડિયન ઓવરસિસ કોંગ્રેસ ચેરમેન સામ પિત્રોડાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં પૂર્વ રહેતા લોકો ચાઈનીસ જેવા લાગે છે જ્યારે આફ્રિકામાં વસ્તા લોકો આફ્રિકન જેવા લાગે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પિત્રોડાએ  ઈનહેરિટન્સ ટેક્સની વાત કરીને વિવાદ સર્જયો હતો અને વિરોધ પક્ષ ભાજપે તેને મુદ્દો બનાવ્યો હતો. 

હાલ સામ પિત્રોડા ઓનલાઈન સરક્યુલેટ થઈ રહેલા એક વીડિયામાં એમ કહેતા જોવા મળી રહ્યાં છે કે આપણે ભારત જેવા વિવિધતા ધરાવતા દેશને એક રાખીએ છે. દેશના પૂર્વોત્તરના લોકો ચાઈનીઝ જેવા લાગે છે જ્યારે પશ્ચિમના લોકો અરબ જેવા લાગે છે. ઉત્તરના લોકો વાઈટ હોય છે અને દક્ષિણના લોકો આફ્રિકા જેવા. જોકે આ બાબત મહત્વની નથી. આપણે બધા ભાઈઓ અને બહેનો છીએ. આ વાત પિત્રોડાએ ધ સ્ટેટ્સમેનન આપેલા ઈન્ટરવ્યુમાં કહી હતી.

પિત્રોડાએ આ વાતની શરૂઆત એવી રીતે ભારત કઈ રીતે લોકશાહીનું ખૂબ જ આદર્શ ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું અમુક ઘર્ષણોને બાદ કરતા આપણે બધાએ 75 વર્ષ ખૂબ જ સારા વાતાવરણમાં કાઢ્યા છે. ઉલ્લેખનીય છે કે પિત્રોડા અગાઉ રામમંદિરના ઉદ્ધાટન સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંદિર અંગે ટિપ્પણી કરવા બદલ સમાચારમાં રહ્યાં હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎