:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મુખ્યમંત્રી કેજરીવાલની વચગાળની જામીન અરજીનો મામલો: સિબ્બલે કહ્યું- ભાજપના નેતા હાર્દિકને ચૂંટણી લડવા માટે જામીન કઈ રીતે મળ્યા હતા?

top-news
  • 10 May, 2024

સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આવવાનો છે, ત્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું છે કે ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી) દ્વારા કોર્ટમાં કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતું સોગાંદનામું દાખલ કરવામા આવ્યું હતું. આ સોગાંદનામામાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલને વચગાળાના જામીન એટલે ન આપવામાં આવે કારણ કે રાઈટ ટું કેમ્પેન એ કાયદાકીય હક્ક છે, તે કોઈ બંધારણીય હક નથી. આ વાત સાચી પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને સજા થઈ હોય અને કોર્ટે પણ એવું કહ્યું હોય કે તે સજા પર સ્ટે આપે છે અને તે વ્યક્તિ ચૂંટણી પ્રચારમાં ભાગ લે છે, તો તેમને જ પૂછો કે કઈ રીતે હાર્દિક પટેલ ચૂંટણી લડી હતી.

સિબ્બલે આ અંગે સવાલ કરતા કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કેવા પ્રકારનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. હાર્દિક પટેલ જે એક ગુનેગાર હતો તેને પણ માન્યતા મળી હતી તો કેજરીવાલ તો આરોપી છે તેમને ચૂંટણી પ્રચાર માટે માન્યતા મળવી જોઈએ. આ અંગે હાર્દિક પટેલના ઉદાહરણને ટાંકીને સિબ્બલે કહ્યું હતું કે હાર્દિક પટેલને કોર્ટે ગુનેગાર ઠેરવ્યો હતો અને પછી કોર્ટે તેની પર સ્ટે આપ્યો હતો. 

હાર્દિક પટેલે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે આ અંગે સ્ટે આપ્યો હતો. પછીથી હાર્દિકે ચૂટણી પણ લડી હતી અને ભાજપમાં પણ જોડાયો હતો. કોઈ વ્યક્તિ કે જેની સામે પુરાવા હોય અને સજા થયેલી હોય તેની પર કોર્ટ જો સ્ટે આપે તો તે ચૂંટણી પ્રચાર કરી શકે પરંતુ કોઈ વ્યક્તિ કે જે માત્ર આરોપી છે, તેને સ્ટે ન મળે. આ બાબત પરથી ખ્યાલ આવે કે ઈડી કેવા પ્રકારનું રાજકારણ કરી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎