:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ઉત્તરપ્રદેશના સીતાપુરમાં 6નાં મોત: યુવકે માતાને મારી ગોળી, પત્નીની હથોડીથી કરી હત્યા અને બાળકોને છત પરથી ફેંક્યા

top-news
  • 11 May, 2024

યુપીના સીતાપુરમાં એક જ પરિવારના 6 લોકોના મોતના પગલે ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ યુવકે માતા, પત્ની અને બાળકોની હત્યા કરી છે. આરોપીએ પોતાની માતાની જ ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે પત્નીની હથોડી મારીને હત્યા કરી હતી. ઘટના મથુરાના પલ્હાપુર ગામની છે. 

આટલું ઓછું હોય તેમ આરોપીએ 3 બાળકોને પણ છત પરથી નીચે ફેંકી દીધા હતા. તેના પગલે તમામ બાળકોનું મૃત્યું નીપજ્યું છે. પરિવારના પાંચ લોકોની હત્યા પછી આરોપીએ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતના રિપોર્ટ મુજબ આરોપી નશો કરતો હતો અને માનસિક રીતે હેરાન રહેતો હતો. 

પાલ્હાપુરમાં ખેડૂત વિરેન્દ્ર સિંહના પુત્ર અનુરાગ સિંહે ગત રાતે આ હત્યાકાંડને અજામ આપ્યો હતો. માનસિક સંતુલન ગુમાવી બેઠેલા અનુરાગ સિંહે માતા સાવિત્રી દેવી, પત્ની વિરેન્દ્ર સિંહ, પત્ની પ્રિયંકા સિંહ, છોકરી આષ્વી,  પુત્ર અનુરાગ અને પુત્રી આરનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે આદવિકે ઈલાજ દરમિયાન ટ્રોમા સેન્ટરમાં જ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને અંજામ આપનાર અનુરાગ સિંહે પોતાની પણ આત્મહત્યા કરી લીધી હતી. સવારે ઘટનાની માહિતી મળતા જ સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎