વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોંગ્રેસને ખુલ્લો પડકાર: ઓડિશાના કંધમાલમાં PM મોદીએ દાવા સાથે કહ્યું- કોંગ્રેસને 50 બેઠકો પણ મળશે નહીં
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11052024_061533_PM Modi.webp)
- 11 May, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના કંધમાલમાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ અંગે દાવો કરતા કહ્યું કે તેને આગામી લોકસભાની ચૂંટણીમાં 50 બેઠકો પણ મળશે નહિ. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબારમાં એક વિશાળ રેલીને સંબોધી હતી.
વડાપ્રધાને આ દરમિયાન કોંગ્રેસની સાથે-સાથે તેમણે શિવસેના પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે નકલી શિવસેના વાળા મને જીવતો દાટી દેવાની વાત કરે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે આ લોકો કહી રહ્યાં છે કે મોદીની કબર ખોદાશે. તુષ્ટિકરણ માટે આ ભાષા બોલી રહ્યાં છે. તેમને સપના દેખાઈ રહ્યાં છે કે મોદીને જમીનમાં દાટી દઈશું. તેમને એ વાતનો ખ્યાલ નથી કે દેશની માતાઓ અને બહેનો મોદીની રક્ષા કરશે.
મોદીએ કહ્યું હતું કે મહા અઘાડી આરક્ષણના મહાભક્ષણનું મહા અભિયાન ચલાવી રહી છે. જ્યારે એસસી, એસટી અને ઓબીસીનું આરક્ષણ બચાવવા માટે મોદી મહારક્ષણ મહાયજ્ઞ કરી રહ્યો છે. હું કોંગ્રેસના શાહી પરિવારની જે મોટા પરિવારમાંથી આવતો નથી. હું તો ગરીબીમાં જ મોટો થયો છું. મને ખબર છે કે અહીં તમે કેટલી તકલીફ ઉઠાવી છે. તમારા જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ હતો. કેટલાક આદિવાસી પરિવારો પાસે પાક્કું ઘર નહોતું. આઝાદીના 60 વર્ષ પણ ગામડાઓમાં વીજળી પહોંચી નહોતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ