:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

CM કેજરીવાલનું કરિષ્ય વચનં તવ: અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યા પછી હનુમાન અને નવગ્રહના મંદિરે દર્શન કર્યા

top-news
  • 11 May, 2024

દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા મની લીન્ડ્રિંગ મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી 10 મેના રોજ વચગાળાના જામીન મળ્યા પછીથી અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસ સ્થિત હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પૂજા અર્ચના કરી અને હનુમાનજીને પ્રણામ કર્યા હતા. કેજરીવાલ આજે બપોરે 1 વાગ્યે આમ આદમી પાર્ટીની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કેજરીવાલ હનુમાન મંદિરમાં પૂજા કર્યા પછીથી કનોટ પ્લેસ સ્થિત શનિ અને નવગ્રહના મંદિર ખાતે પહોંચ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર અને અંદેર મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે. હાલ આમ આદમી પાર્ટીની ઓફિસમાં સમર્થકો એકઠા થવાનું શરૂ થઈ ગયું છે. કેજરીવાલનું સ્વાગત કરવા માટે હાલ એક મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આપ નેતાઓ માટે પણ મંચ પર ખુરશીઓ લગાવવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે આજે x પર પોસ્ટ પણ કરી છે. આ ટ્વિટમાં તેમણે પોતાના ચૂંટણી પ્રચારની વિગતો આપી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને રાહત આપતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. તેના પગલે હવે કેજરીવાલ 1 જૂન સુધી ચૂંટણી પ્રચાર કરી શકશે. 

કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું છે કે હનુમાનજીના આર્શીવાદથી, કરોડો લોકોની દુઆથી અને સુપ્રીમ કોર્ટના જજના ન્યાયના કારણે તમારા બધાની વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. ખૂબ જ ખુશી થઈ રહી છે. સીએમએ પોતાના કાર્યક્રમ અને રેલીની માહિતી આપતા પોસ્ટમાં લખ્યું કે તમે બધા જરૂર આવજે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎