CM કેજરીવાલનું કરિષ્ય વચનં તવ: અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યા પછી હનુમાન અને નવગ્રહના મંદિરે દર્શન કર્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11052024_072514_Kejriwal Temple.webp)
- 11 May, 2024
દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા મની લીન્ડ્રિંગ મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી 10 મેના રોજ વચગાળાના જામીન મળ્યા પછીથી અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસ સ્થિત હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પૂજા અર્ચના કરી અને હનુમાનજીને પ્રણામ કર્યા હતા. કેજરીવાલ આજે બપોરે 1 વાગ્યે આમ આદમી પાર્ટીની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કેજરીવાલ હનુમાન મંદિરમાં પૂજા કર્યા પછીથી કનોટ પ્લેસ સ્થિત શનિ અને નવગ્રહના મંદિર ખાતે પહોંચ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર અને અંદેર મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે. હાલ આમ આદમી પાર્ટીની ઓફિસમાં સમર્થકો એકઠા થવાનું શરૂ થઈ ગયું છે. કેજરીવાલનું સ્વાગત કરવા માટે હાલ એક મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આપ નેતાઓ માટે પણ મંચ પર ખુરશીઓ લગાવવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે આજે x પર પોસ્ટ પણ કરી છે. આ ટ્વિટમાં તેમણે પોતાના ચૂંટણી પ્રચારની વિગતો આપી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને રાહત આપતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. તેના પગલે હવે કેજરીવાલ 1 જૂન સુધી ચૂંટણી પ્રચાર કરી શકશે.
કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું છે કે હનુમાનજીના આર્શીવાદથી, કરોડો લોકોની દુઆથી અને સુપ્રીમ કોર્ટના જજના ન્યાયના કારણે તમારા બધાની વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. ખૂબ જ ખુશી થઈ રહી છે. સીએમએ પોતાના કાર્યક્રમ અને રેલીની માહિતી આપતા પોસ્ટમાં લખ્યું કે તમે બધા જરૂર આવજે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ