:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

CM અરવિંદ કેજરીવાલનો મોટો દાવો: ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે, ભાજપની સરકાર બની તો મોદી વડાપ્રધાન હશે નહીં

top-news
  • 11 May, 2024

તિહાડ જેલમાંથી બહાર આવ્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે લોકોને સંબોધ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી લોકોને સંબોધતા કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટો દાવો કર્યો છે. પ્રથમ દાવો કરતા કેજરીવાલે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપી નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. જોકે તેમણે એક મોટો દાવો કરતા કહ્યું કે જો બીજેપીની સરકાર બની તો નરેન્દ્ર મોદી આગામી વડાપ્રધાન હશે નહીં. 

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો ઈન્ડિયા ગંઠબંધનને પુછે છે કે તમારા વડાપ્રધાન કોણ છે, હું બીજેપીને પુછું છું કે તમારા વડાપ્રધાન કોણ હશે? લોકો કદાચ એ બાબત વિચારી રહ્યાં હશે કે આ તે કેવો સવાલ છે. નરેન્દ્ર મોદી જ પીએમ બનશે, જોકે આવું બનશે નહીં. સીએમ કેજરીવાલે આ અંગેનું કારણ આપતા જણાવ્યું કે પીએમ મોદી આગામી 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યાં છે. બીજેપીમાં વડાપ્રધાને પોતે એવો નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષથી વધુ ઉંમરના નેતઓને રિટાયર્ડ કરવામાં આવશે. 

સીએમએ કહ્યું લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજનને તેમની ઉંમરના કારણએ રિટાયર્ડ કરવામાં આવ્યા છે. હવે નરેન્દ્ર મોદી 75 વર્ષના થવા જઈ રહ્યાં છે. હવે હું બીજેપીને પુછું છે કે તેમનો પીએમ ઉમેદવાર કોણ છે. મોદી આગામી પીએમ અમિત શાહને બનાવશે. તેના કારણે તેઓ પોતાના માટે વોટ માંગી રહ્યાં નથી પરંતુ અમિત શાહ માટે માંગી રહ્યાં છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎