પ્રિયંકા ગાંધીના PM મોદી પર પ્રહાર: વડાપ્રધાન મોદીને બાળક સાથે સરખાવ્યાં, કહ્યું- ચૂંટણી વખતે બાળકની જેમ રડે છે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11052024_104231_priyanka.webp)
- 11 May, 2024
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે મહારાષ્ટ્રના નંદૂરબારમાં લોકોને સંબોધ્યા હતા. સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન ચૂંટણી સમયે મંચ પર આવીને નાના બાળકની જેમ રડવા લાગે છે અને કહે છે કે મને ગાળ દીધી. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદીના ભાષણો સાવ ખોખલા છે. તેઓ રાજનીતિનો ઉપયોગ માત્ર સત્તા મેળવવા માટે જ કરે છે, લોકોની સેવા કરવા માટે નહીં. ઉલ્લેખનીય છે કે નંદૂરબાર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પાડવીના સમર્થનમાં તેમણે સભાને સંબોધી હતી.
ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જે પણ બોલે છે, તે ખોખલી વાતો છે જેમાં કોઈ વજન નથી હોતું. મને નરેન્દ્ર મોદીની કોઈ આદિવાસીના ઘરે જઈને તેમની સમસ્યાઓ સમજવાની એક તસવીર બતાવો. તમારી સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન કરવું રાજકીય નેતાઓનું કર્તવ્ય છે. ભાજપ આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન નથી કરતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને નવા સંસદ ભવનના ઉદ્ધાટન કરવા અને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાની મંજૂરી ન અપાઈ. જ્યારે હકીકતમાં સન્માન આપવાની વાત આવે છે ત્યારે મોદીજી પાછળ ખસી જાય છે.
વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મોદીજી એક બાળકની જેમ રડે છે અને કહે છે કે તેમની સાથે ખરાબ વ્યવહાર કરાઈ રહ્યો છે. અરે હિંમત રાખો મોદીજી, આ જાહેર જીવન છે. ઈન્દિરા ગાંધીથી શીખો. દુર્ગા જેવી મહિલા, જેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા. તેમની બહાદુરી, સાહસ અને દૃઢ સંકલ્પમાંથી શીખો. જોકે તમે તો તેમને રાષ્ટ્રવિરોધી કહો છો, તમે તેમની પાસેથી શું શીખવાના.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ