:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

માલદીવે ભારત માટે કહી મોટી વાત: ભારતના પ્લેન તો છે અમારી પાસે પરંતુ અમારા પાયલોટને ઉડાવતા જ નથી આવડતું

top-news
  • 13 May, 2024

ભારતીય સૈનિકો પરત ફર્યાના થોડા દિવસો પછી માલદીવે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેના સૈનિકોની પાસે ભારતે આપેલા ત્રણ વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા નથી. ઉલ્લેખનીય છે કે રવિવારે સ્થાનિક મીડિયાને માલદિવના રક્ષા મંત્રી ઘાસન મૌમૂને આ અંગેની વાત કહી હતી. મૌમૂનનું કહેવું છે કે માલદીવના સૈનિકોએ વિમાન ચલાવવાની ટ્રેનિંગ શરૂ કરી હતી પરંતુ તેઓ તેને પુરી કરી શક્યા નહોતા. હવે સ્થિતિ એવી છે કે તેમનો એક પણ સૈનિક ભારતે આપેલા વિમાનને ચલાવી શકતો નથી.

એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનનાં જવાબમાં ઘાસને કહ્યું કે, માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ પાસે માલદીવનાં કોઈ સૈનિકો નથી. જે ભારતીય સેના દ્વારા દાનમાં આપવામાં આવેલા ત્રણ એરક્રાફ્ટનું સંચાલન કરી શકે. તેમજ અગાઉની સરકારો દ્વારા કરાયેલા કરાર હેઠળ કેટલાક સૈનિકોને ફ્લાઈંગ ટ્રેનિગ આપવામાં આવી હતી.

ઘાસને કહ્યું કે વિમાન ઉડાવવાની તાલીમ વિવિધ તબક્કામાં લેવાની હતી. પરંતુ આ તાલીમ પૂર્ણ થઈ નથી. હાલમાં અમારા દળમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જે બે હેલિકોપ્ટર અને ડોર્નિયરને ઉડાડવા માટેનું લાઇસન્સ ધરાવતું હોય અથવા તેને ઉડાડવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હોય.

ચીન તરફી નેતા મુઇઝુએ 10 મે સુધીમાં ટાપુ રાષ્ટ્રમાં ત્રણ વિમાનનાં પ્લેટફોર્મનું સંચાલન કરતા તમામ ભારતીય સૈન્ય કર્મચારીઓને પરત બોલાવી લેવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ગંભીર તણાવમાં આવ્યા હતા. ભારતે પહેલેથી જ 76 સૈન્ય કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. માલદીવનાં મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જ માલદીવ સરકાર સેનહિયા સૈન્ય હોસ્પિટલમાં ભારતનાં ર્ડાક્ટરોને હટાવવાનો કોઈ ઈરાદો નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎