:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

AMCનો બસ અકસ્માત નિવારવા મોટો નિર્ણય: હવે ડ્રાઈવરો ઝડપથી બસ ચલાવી શકશે જ નહીં, પ્રતિ કલાક 40થી 45 કિમી હશે સ્પીડ

top-news
  • 13 May, 2024

શહેરમાં AMTS બસથી થતાં અક્સ્માતની સખ્યાંમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને જાણે AMTS બસના ચાલકો મન ફાવે તેમ રસ્તા પર બસ ચાલવે છે અને લોકોના ભોગ લઈ રહ્યા છે. ગઈકાલે સાંજે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર નજીક અક્સ્માતનો બનાવ સામે આવ્યો હતો. અક્સ્માતની હારમાળા સર્જાય હતી. AMTS બસ ચાલકે એક નહિ બે નહિ પણ 8 વાહનો સાથે અક્સ્માત સર્જ્યો હતો. 

અક્સ્માત થતા લોકોની ભીડ એકઠી થઈ હતી અને કલાકો સુધી ટ્રાફીક જામના દ્ર્શ્યો પણ સર્જાયા હતા. પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જતા અકસ્માત થયો હતો. ટ્રાફીક પોલીસે બસ ચાલકની ધરપકડ કરી બીજા દિવસે સવારે જામીન પર મુક્ત કર્યો હતો. આ અકસ્માતમાં અર્ટિંગા કારમાં સવાર ત્રણ લોકો અને બાઇક સવાર સહિત ચાર લોકોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. 

એએમટીએસ બસથી થતા અકસ્માતને રોકવા માટે AMCએ મોટો નિર્ણય લીધો છે. AMTS બસની ઝડપ અંગે તંત્રએ મહત્ત્વનો નિર્ણય કર્યો કે હવે એએમટીએસની બસ 45 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી દોડાવી શકાશે નહીં. ગતરાતે જોધપુર ચાર રસ્તા ખાતે સર્જાયેલા AMTSના અકસ્માતના મામલે અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં AMTS ની મહત્તમ સ્પીડ 50થી 60 કિમી પ્રતિ કલાકથી ઘટાડીને 40થી 45 કિમી પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎