:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી કર્યો ખુલાસો: ઉત્તરપ્રદેશના રાયબરેલીની એક રેલીમાં પ્રિયંકા ગાંધીની હાજરીમાં રાહુલે કહ્યું- ટૂંક સમયમાં લગ્ન કરીશ

top-news
  • 13 May, 2024

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીને તેઓ ક્યારે લગ્ન કરશે તે અંગેનો સવાલ પુછવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા રાહુલે કહ્યું હતું કે તે ટુંક સમયમાં લગ્ન કરશે. રાયબરેલી લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી પહોંચ્યા છે. આ દરમિયાન આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં રેલી કરી હતી. તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યાં હતા.

ચૂંટણી રેલી દરમિયાન એક બાળકે રાહુલ ગાંધીથી તેમના લગ્નને લઈને સવાલ કરાયો હતો. આ સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હવે લાગે છે કે ટૂંક સમયમાં જ કરવા પડશે.' ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે રાયબરેલીમાં ઘર-ઘર ચૂંટણી અભિયાન કર્યું. આ દરમિયાન તેઓ ઘર-ઘર જઈને લોકોને મળી રહ્યા છે.

કોંગ્રેસ નેતા અને રાયબરેલી લોકસભા બેઠકના ઉમેદવાર રાહુલ ગાંધીએ જનસભામાં રાયબરેલીથી ચૂંટણી લડવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'કેટલાક દિવસો પહેલા હું મા (સોનિયા ગાંધી)ની સાથે બેઠો હતો. મેં માને કહ્યું કે એક બે વર્ષ પહેલા મેં એક વીડિયોમાં કહી દીધું કે મારી બે માતા હતી એક સોનિયા ગાંધી અને બીજા ઈન્દિરા ગાંધી. બંને માતાની આ કર્મભૂમિ છે, એટલા માટે હું રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યો છું.'
જણાવી દઈએ કે, આ વખતે રાહુલ ગાંધી અમેઠીથી નહીં પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમની ટક્કર ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સાથે છે. આ પહેલા સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ રહી ચૂક્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎