સુપ્રીમ કોર્ટે આપી પતંજલિને મોટી રાહત: બાબા રામદેવ-આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં રૂબરૂ આવવામાંથી મુક્તિ, જજે કહ્યું- તમારું યોગમાં મોટું યોગદાન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan14052024_064638_Baba Ramdev 22.webp)
- 14 May, 2024
પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાત આપવાના મામલામાં આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવને સુપ્રીમ કોર્ટમાંથી હાલ રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ સ્વામી રામદેવ અને બાલકૃષ્ણને આગામી આદેશ સુધી કોર્ટમાં રૂબરૂ હાજર થવામાંથી મુક્તિ આપી છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે યોગના ક્ષેત્રમાં બાબા રામદેવના યોગદાનની પણ પ્રશંસા કરી છે. જોકે બાબા રામદેવ અને બાલકૃષ્ણ પર કોર્ટના આદેશનો અનાદર કરવાનો કેસ ચાલશે કે કેમ, તેની પર સુપ્રીમ કોર્ટની જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનદ્દીન અમાનુલ્લાહની બેન્ચે ચુકાદો અનામત રાખ્યો છે.
પતંજલિ આયુર્વેદ દ્વારા પોતાની દવાઓ માટે ભ્રામક દાવાઓને લઈને યોગગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણની વિરુદ્ધ કોર્ટના અનાદર કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પતંજલિને કહ્યું કે જે દવાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેનું દુકાન પર થતું વેચાણ અટકાવવા અને તેને પરત લેવા માટે તેમના તરફથી કેવા પગલા ભરવામાં આવ્યા છે, તે અંગે એક સોગાંદનામું દાખલ કરવામાં આવે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ