:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

4 વર્ષથી નથી મળી રમવાની તક, સુનીલ નારાયણએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સન્યાસ

top-news
  • 06 Nov, 2023

વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર સુનીલ નારાયણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ઘણાં વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. તેને વેસ્ટ ઇન્ડિઝ માટે રમવાનો મોકો વર્ષ 2019માં મળ્યો હતો. ત્યારબાદ સુનીલ નારાયણને વેસ્ટ ઇન્ડિઝ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં રમવાની તક મળી નહીં. જેના કારણે સુનીલ નારાયણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો છે.

લીગ ક્રિકેટમાં સક્રિય સુનીલ નારાયણે તેના 8 વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટિંગ કરિયરને અલવિદા કહી દીધું છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ માટે છેલ્લે ઓગસ્ટ 2019માં T20I મેચ રમી હતી. નારાયણે તેના નિવૃત્તિની જાહેરાત સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કરી હતી. તેણે લખ્યું હતું કે, 'મારા તમામ ચાહકો, સાથીઓ અને પ્રિયજનો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટથી મારી નિવૃત્તિના સંબંધમાં પત્ર. હું હંમેશા તમારો આભારી રહીશ.'

સુનિલે પોતાના પત્રમાં લખ્યું છે કે, "હું પ્રશંસા કરું છું કે મને વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી વખત રમ્યાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આજે હું ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. હું જાહેરમાં ઓછું બોલનાર વ્યક્તિ છું. પરંતુ વ્યક્તિગત રીતે એવા કેટલાક લોકો છે જેમણે મારા સમગ્ર કરિયર દરમિયાન મને ખુબ સમર્થન આપ્યો છે અને વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવાનું મારું સપનું સાકાર કરવામાં મદદ કરી છે અને હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું."

સુનીલ નારાયણે વેસ્ટ ઇન્ડિઝ માટે વર્ષ 2011માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો. તેણે 122 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 6 ટેસ્ટ, 65 વનડે અને 51 T20I મેચ સામેલ છે. તેણે વર્ષ 2012માં વેસ્ટ ઇન્ડિઝને તેનું પ્રથમ T20 World Cup ટાઈટલ જીતવામાં મદદ કરી હતી. તે વર્ષ 2012થી IPLમાં રમી રહ્યો છે અને ત્યારથી તે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ રહ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎