:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સંસદના આજ થી શરૂ થતા શિયાળુ સત્રનો આરંભે , હેટ્રિક વિજય થી ઉત્સાહિત ભાજપા , સાથે સાંસદ મહુઆનો મુદ્દો પણ ગૃહને ગજવશે

top-news
  • 04 Dec, 2023

હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત થી ઉત્સાહિત ભાજપ સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સહિત ના તમામ વિપક્ષને ઘેરવાનો ફરી થી પ્રયાસ કરશે, જ્યારે એની સામે વિપક્ષી દળો મણિપુર અને તપાસ એજન્સીઓની દરોડાની કાર્યવાહી જેવા કેટલાક મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કરશે. 

સત્ર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સાથે કેશ ફોર ક્વેરી કેશમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે જેને લઈને હોબાળો મચે તેવા પૂરાં સંકેત છે. મહુઆ મોઈત્રા પર પૈસા અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યા છે.  


વિપક્ષી ગઠબંધન 'INDIA' ના નેતાઓ સંસદની અંદર અને ચૂંટણીના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપનો સામનો કરવા માટે તેમની વ્યૂહરચના ફરીથી ઘડવા સોમવારે સવારે બેઠક કરશે. જ્યારે શિયાળુ સત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ પત્રકારોને કહ્યું કે જો વિપક્ષ સંસદના શિયાળા સત્રમાં હોબાળો મચાવશે તો તેણે ખરાબ પરિણામો ભોગવવા પડશે.

સરકારે શિયાળુ સત્રની 15 બેઠકો માટે એક ભારે ભરખમ એજન્ડા જાહેર કર્યો છે. જેમાં અંગ્રેજોના સમયના ગુનાઈત કાયદાઓના સ્થાને લાવવામાં આવેલા મુખ્ય બિલ, ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક રૂપરેખા આપવા સંબંધિત બિલ સામેલ છે.