:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રામમંદિરે જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, અયોધ્યા માટે જાન્યુઆરીથી 1000 સ્પેશિયલ ટ્રેન, દેશના અનેક શહેરોમાંથી સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા માટે દોડાવવામાં આવશે

top-news
  • 16 Dec, 2023

અયોધ્યમાં 2024ની જાન્યુઆરીમાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે રામ ભક્તો માટે એક સારા સામાચાર આવ્યા છે જેમાં ભારતીય રેલવેએ ભક્તો માટે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી 1000થી વધુ સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા માટે દોડાવવાની યોજના બનાવી રહ્યું છે. દેશના કરોડો હિંદુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરનું 22મી જાન્યુઆરી 2024માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે રામ ભક્તોમાં આ ઉદ્ઘાટનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય રેલવે પણ વધુમાં વધુ રામ ભક્તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનમાં પહોંચી શકે તે માટેનું આયોજન કરી રહી છે અને તેના માટે રેલવે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, નાગપુર, લખનઉ, જમ્મુ સહિતના મોટા શહેરોમાંથી અયોધ્યા માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં માટે યોજના બનાવી રહી છે. આ ટ્રેનોનું સંચાલન 19મી જાન્યુઆરીથી શરુ થશે અને રામ મંદિરના ઉદ્ધાટન પછી પણ 100 સુધી ચાલુ રહેશે. 

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભક્તોની ભીડને ધ્યાને રાખીને રેલવે વધુને વધુ ટ્રેનો અયોધ્યા માટે દોડાવશે. મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને જ અયોધ્યા સ્ટેશનને પણ નવુ રુપ કરવામાં છે. આ સ્પેશ્યલ ટ્રેન સિવાય રેલવેનો કેટરિંગ અને ટિકિટ વિભાગ પણ ઉદ્ધાટનના 10-15 દિવસ દરમિયાન ચોવીસ કલાક શ્રદ્ધાળુઓની સેવા માટે કાર્યરત રહેવાની વ્યવસ્થા કરી રહ્યો છે. અધિકારીઓ ફૂડ સ્ટોલની પણ યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ 23મી જાન્યુઆરીથી મંદિર લોકો માટે ખુલ્લુ રહેશે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎