:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

"ડિસ્કો ડાન્સર"ને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે

top-news
  • 10 Feb, 2024

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તીએ પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. આજે પણ મિથુન ચક્રવર્તીના લાખો ચાહકો છે. પરંતુ આ દરમિયાન અભિનેતા સાથે જોડાયેલા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો અને ગભરામણ અનુભવાઈ હતી. જેના કારણે તેમને તાત્કાલિક કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર આજે સવારે એટલે કે 10 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. જે બાદ અભિનેતાને બેચેની અનુભવાય હતી. તેમની તબિયત બગડતી જોઈને તેમને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની સારવાર ચાલુ છે.

હાલમાં આવેલ માહિતી અનુસાર મિથુન ચક્રવર્તીનો એમઆરઆઈ થઈ ચૂક્યો છે. સારવાર માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. ડોક્ટરોએ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. અત્યાર સુધી હોસ્પિટલે આ બીમારી વિશે કંઈ પણ જણાવ્યું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ મિથુન ચક્રવર્તી પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. શૂટિંગ દરમિયાન તેને લાગ્યું કે તેની તબિયત બગડી રહી છે. તે ત્યાં જ નીચે બેસી ગયા હતા. જે બાદ ટીમ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો મિથુન ચક્રવર્તી સાથે એક્ટર સોહમ ચક્રવર્તી પણ હાજર હતા જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે સોહમના કહેવા પર જ ફિલ્મનું શૂટિંગ કોલકાતામાં થઈ રહ્યું હતું.

તેની આગામી ફિલ્મમાં મિથુન ચક્રવર્તી ઉપરાંત સોહમ ચક્રવર્તી અને દેબાશ્રી રોય પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મોની સાથે-સાથે આ દિગ્ગજ અભિનેતા છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં પણ એક્ટિવ છે. મિથુન ચક્રવર્તી ભાજપ સાથે જોડાયેલા છે.  તાજેતરમાં જ દિગ્ગજ અભિનેતાને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎