:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

એક્શન-થ્રીલરમાં મિર્ઝાપુરને પણ ટક્કર મારનાર વેબ સિરીઝ: બે સીઝન પૂર્ણ કર્યા બાદ હવે ત્રીજા સિઝનની રાહે ..

top-news
  • 16 Apr, 2024

હાલમાં વેબ સિરીઝની દુનિયામાં 'મિર્ઝાપુર' પુષ્કળ ચર્ચાસ્પદ બની છે. તેનું કારણ તે સિરીઝમાં જે રીજનલ ટચ છે, કલાકારોની સ્ક્રીન પ્રેઝેન્સ છે, એ દરેકનું દિલ જીતી લે છે. અત્યાર સુધી તેની 2 સિઝન આવી ચૂકી છે અને લોકો ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની આ સફળતાથી પ્રેરણા મેળવીને તેના જેવી હવે આવી ઘણી સિરીઝ આવી રહી છે જે મિર્ઝાપુરને પણ ટક્કર આપી શકે છે. 'મિર્ઝાપુર'ની જેમ પ્રાદેશિક ટચ અને ભાષા સાથે ગુંડાગીરીનો એવો જ અંદાજ તેમાં જોવા મળશે.

આ સિરીઝમાં ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડનો રીજનલ ટચ જોવા મળ્યો હતો. લીડ હીરોનો અંદાજ પણ ગામઠી હતો. બોલવાની રીત ભાત, અને અંદાજ પણ પ્રાદેશિક ભાષામાં હતો. તેની બીજી સિઝન 2022માં આવી હતી. આ સિરીઝનું નામ છે 'અપહરણ'. સિરીઝની બંને સિઝનમાં અરુણોદય સિંહે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ એક એક્શન-થ્રિલર સીરીઝ છે. આ સિરીઝનું નિર્દેશન સિદ્ધાર્થ સેનગુપ્તાએ કર્યું હતું. 'અપહરણ'ની બંને સિઝન કિડનેપિંગ પર આધારિત છે, જેમાં સસ્પેન્સ, થ્રિલર અને મિસ્ટ્રી જોવા મળે છે. તેની ભાષા શૈલી અને જબરદસ્ત ડાયલોગ્સથી ભરપૂર છે.  Jio સિનેમા પર જોવા મળશે. 

'અપહરણ'ની પહેલી સિઝનમાં 12 એપિસોડ હતા, જ્યારે બીજી સિઝનમાં 11 એપિસોડ હતા. પ્રથમ સિઝને 2018નાં સ્ટ્રીમિંગ એવોર્ડ્સમાં 4 કેટેગરીમાં એવોર્ડ્સ જીત્યા હતા. તેને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. ચાહકો તેની ત્રીજી સીઝનની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અરુણોદય સિંહના પાત્ર રુદ્ર શ્રીવાસ્તવને ફરીથી સ્ક્રીન પર જોવાની માંગ છે. એવી અપેક્ષા છે કે તેની ત્રીજી સિઝન પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎