:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

હવે સુપરસ્ટાર રજનીકાંતની પણ બાયોપિક બનશે સાજિદ નાડીયાદવાલા બનાવવા માટે રાઈટ્સ ખરીદી લીધા

top-news
  • 03 May, 2024

મેગા સ્ટાર રજનીકાંતની બાયોપિક બની રહી છે. બોલીવૂડ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ બાયોપિક બનાવવા માટેના રાઈટ્સ ખરીદી લીધા છે.અને રજનીકાન્ત સાથે તેણે મેગા કૉન્ટ્રૅક્ટ પણ સાઇન કર્યો છે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે. સાજિદ નડિયાદવાલા રજનીકાન્તનો એક ઍક્ટર તરીકે અને એક વ્યક્તિ તરીકે મોટો ફૅન છે. રજનીકાંતની જિંદગી તેમની ફિલ્મો જેટલી જ રોચક છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલાં તેઓ બસ કન્ડકટર હતા.

મહાન  સુપરસ્ટાર બનવા  સુધીની તેમની સફર વિશ્વના તમામ લોકો સુધી પહોંચે એવી સાજિદ નડિયાદવાલાની ઇચ્છા છે. તે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર અને ફિલ્મને ભવ્ય બનાવવા પર કામ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરીમાં દરેક ઝીણી બાબતોનો સમાવેશ થઈ શકે એ માટે સાજિદ નડિયાદવાલા છેલ્લા થોડા મહિનાથી રજનીકાન્ત અને તેમના પરિવારના સંપર્કમાં છે.તમિલ ફિલ્મોથી શરુ કરીને દેશ દુનિયામાં પોતાનો આગવો ફેન બેઝ ઊભો કરનારા રજનીકાંત મૂળ તમિલિયન પણ નથી. તેમનું મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ છે અને તેમના વડીલો મહારાષ્ટ્રના નાસિકના એક  ગામથી કર્ણાટક શિફ્ટ થયા હતા. 

રજનીકાંતે આજદિન સુધી ૧૭૦ હિટ ફિલ્મો આપી છે. હાલ ૭૪ વર્ષની વયે પણ તેઓ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની શરુ કરી દીધી છે. એકવાર સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ બાકીના કલાકારોની પસંદગી કરવામાં આવશે. ફિલ્મ રજનીકાંતના ગ્લોબલ ઓડિયન્સને ધ્યાને રાખીને બનાવવામાં આવશે તેવો દાવો કરવામાં  આવી રહ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎