:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

સોનાક્ષી સિન્હા પ્રભુતામાં પગલા માંડશે: સોનાક્ષી સિન્હા ઝહીર ઇકબાલ સાથે 23 જૂનેે મુંબઈમાં લગ્ન કરશે, શત્રુધ્ન સિન્હા અને પૂનમ સિન્હા દીકરીનાં લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત

top-news
  • 11 Jun, 2024

બોલીવુડના પીઢ અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિંહની પુત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે આ કપલની લગ્નની તારીખો જાહેર થઈ ગઈ હોવાની વાત વહેતી થઈ છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, આ કપલ આજ મહિને લગ્નના બંધનમાં બંધાઈ જશે. સોનાક્ષી સિન્હાના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હા તેમની દીકરીના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.  

મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોનાક્ષી અને ઝહીર 23 જૂને તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ દંપતીએ ડેસ્ટિનેશન મેરેજમાં જવાને બદલે મુંબઈમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અહેવાલો અનુસાર, લગ્ન મુંબઈમાં થશે. જોકે, લગ્નમાં દંપતીના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવશે. જો કે, લગ્ન પછી, આ દંપતી એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે, જેમાં બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે. 

જો કે સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવારે હજુ સુધી આ અહેવાલનો જવાબ આપ્યો નથી. સોનાક્ષી અને ઝહીર છેલ્લા 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે, પરંતુ તેઓએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધનો સ્વીકાર કર્યો નથી. બંનેએ હંમેશા કહ્યું છે કે તેઓ માત્ર સારા મિત્રો છે.  

સૂત્રોનું માનીએ તો સોનાક્ષીના લગ્નનું આમંત્રણ મેગેઝીનના કવરની જેમ તૈયાર કરવામાં આવશે. તેના પર લખવામાં આવશે - 'અફવાઓ સાચી છે...' લગ્નમાં આવનાર તમામ મહેમાનોને ઔપચારિક રીતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉજવણી મુંબઈમાં થઈ શકે છે. આ રેસ્ટોરાંની માલિક બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે.

સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે અત્યાર સુધી બંનેએ આ અંગે ખુલીને વાત કરી નથી કે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમના બોન્ડને જાહેર કરે છે. તાજેતરમાં જ સોનાક્ષીના જન્મદિવસ પર પણ ઝહીરે અભિનેત્રી સાથેના ઘણા ક્યૂટ ફોટા શેર કર્યા હતા.


36 વર્ષીય ઝહીર ઈકબાલે 2019માં ફિલ્મ 'નોટબુક'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે 2022 માં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર 'ડબલ એક્સએલ' માં જોવા મળ્યો હતો. પોતાની 6 વર્ષની કારકિર્દીમાં ઝહીરે આ બંને ફિલ્મોમાં કામ કર્યું છે જે ફ્લોપ રહી હતી. ઝહીરના પિતા ઈકબાલ રત્નાસી પણ સલમાન ખાનના નજીકના મિત્ર છે. ઝહીરને લોન્ચ કરવામાં સલમાને પણ મદદ કરી હતી. આ પહેલા ઝહીર સલમાનના ભાઈ સોહેલની એક ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતો.

સોનાક્ષી ઉપરાંત ઝહીરનું નામ દીક્ષા સેઠ અને સના સઈદ જેવી અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. સોનાક્ષીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે 'હીરામંડી'ને લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં 'કાકુડા' અને 'નિકિતા રોય' જેવી ફિલ્મોમાં જોવા મળશે.